SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ૬. * સંસ્કાર વિવેકપૂર્વકનો દૃઢ નિશ્ચય, સમયનો સદુપયોગ, કર્તવ્ય-નિષ્ઠા અને મહાપુરુષો પાસેથી સતત પ્રેરણા મેળવતા રહેવાથી, આ મહાન કાર્ય અવશ્ય સિદ્ધ થઈ શકે છે. છેલ્લા ૫૦ વર્ષોમાં વિજ્ઞાને જે હરણફાળ ભરી છે તે નોંધપાત્ર છે. પરંતુ વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયની ઘણી જ આવશ્યક્તા ઊભી થઈ છે, કારણ કે ભૌતિક સુખ - સગવડો મનુષ્યને સાચી શાંતિ આપી શકે કે કેમ અને માનવની સાચી પ્રગતિનો માપદંડ બની શકે કે કેમ તે વિશેષપણે વિચારણીય છે. આ બાબતમાં પ્રસિદ્ધ તત્ત્વચિંતક ડૉ. રાધાકૃષ્ણનનું નીચેનું વક્તવ્ય મનનીય છે : "The soul of progress should be the progress of the soul." માનવને સાચી પ્રગતિ માટે આધ્યાત્મિક અભિગમ સ્વીકારવો જ પડશે. આ કાર્ય માટે વિશ્વમાં ભારત જે યોગદાન આપી શકે તે બીજો કોઈ દેશ આપી શકે તેમ નથી. ભારતના સાચા સંતો પાસેથી દુનિયા અપેક્ષા રાખે છે કે કરૂણા, પ્રેમ, સાદાઈ, મધ્યસ્થતા અને સાચી યોગસાધના દ્વારા સમતા અને પરમ શાંતિ કેમ પ્રાપ્ત કરવી તેનું સમુચિત અને પ્રયોગલક્ષી માર્ગદર્શન તેઓ આપે. ગૃહસ્થાશ્રમ : આર્ય સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને બધા આશ્રમોનો આધાર હોવાથી પાયારૂપ અને સામાજિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ ખૂબ અગત્યનો ગણ્યો છે. સારી રીતે ગૃહસ્થાશ્રમનું પાલન થઈ Jain Education International . S - ૫૪ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy