SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ —ન સંસ્કાર કે દ્વારા સ્વચ્છંદ અને મતાગ્રહને ત્યજે, ત્યારે જ તેને માર્ગ પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. આવા વિનયસંપન્નતાદિ ગુણોનો મર્મ કોઈ વિરલા મુમુક્ષુ જ અંતરથી સમજે છે એમ કહીને પછી મતાર્થીના લક્ષણ વર્ણવીને તે છોડવાની પ્રેરણા કરી છે. મતાર્થીના લક્ષણ છોડીને આત્માર્થી બને તેનામાં કેવા ગુણો હોય તે જણાવીને તેવા ગુણધારકને જ્યારે સગુનો બોધ મળે છે ત્યારે, તે અંતર્મુખી સુવિચારદશાને પામે છે અને તેવા બોધને જીવનમાં આત્મસાત્ કરીને આત્મજ્ઞાન પામીને ક્રમે કરીને પૂર્ણ મોક્ષને પામે છે. આવો અવિરુદ્ધ મોક્ષમાર્ગ રૂડી રીતે જાણવા માટે નીચેના છ પદોનું ક્રમશઃ વિવેચન કરેલ છે. (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કથંચિ કર્તા છે. (૪) આત્મા કથંચિત્ ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે. ક્ષમાદિ ગુણોને પ્રગટ કરવાથી અને આત્માની સાચી શ્રદ્ધા, સાચો લક્ષ અને સાચી અનુભૂતિ કરવાથી મોક્ષ પ્રગટે છે તેમ જણાવી તે દશાની પ્રાપ્તિ માટે પ્રેરણા કરે છે. સદ્ગના ઉપદેશથી જ્યારે તેવા આત્માર્થીને આત્મજ્ઞાન થાય છે ત્યારે તેને અપૂર્વ પ્રસન્નતા થાય છે અને શ્રીસદ્ગુરુદેવનો અત્યંત ભક્તિભાવપૂર્વક અદ્ભુત શબ્દોમાં પરમ ઉપકાર માને છે. ઉપસંહારમાં સુંદર અને વૈજ્ઞાનિક ક્રમથી આખા શાસ્ત્રનો અર્થાત્ મોક્ષમાર્ગનો સાર કહ્યો છે. ભારતીય પદર્શનનો સંક્ષેપ us-જ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy