SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [ સંસ્કાર ) – * શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જૈન પરંપરાના ઉત્તમ આધ્યાત્મિક શાસ્ત્રોમાંનુ આ એક અતિ મહત્ત્વનું શાસ્ત્ર છે અને તેને મૂળ સૂત્ર માનવામાં આવે છે. તેમાં સંગ્રહીત થયેલો બોધ તે મહાવીર પ્રભુનો છેલ્લો ઉપદેશ માનવામાં આવે છે. આ સૂત્રના ૩૬ અધ્યયન છે. તેમાં સાધકને ઉપયોગી લગભગ સર્વ પ્રકારનો બોધ ઉપલબ્ધ છે, તેથી સાધકોપયોગી સૂત્રોમાં તેની વધારે લોકપ્રિયતા થઈ છે. પહેલાં વિનય-અધ્યયનની ૪૮ ગાથાઓથી માંડીને ક્રમશઃ એક પછી એક એમ ૩૬ અધ્યયનોમાં એક બાજુ ગંભીર, તત્ત્વલક્ષી અને મુનિચયને ઉપયોગી અધ્યયનો છે તો બીજી બાજુ હરિકેશીય (૧૨મું અધ્યયન) મૃગાપુત્રીય (૧૯મું અધ્યયન) અને રથનેમીય (૨૨મું અધ્યયન) આદિ અધ્યયનમાં કથાનકોના માધ્યમથી સામાન્ય ધર્મજિજ્ઞાસુને માટે પણ રસપ્રદ શૈલીમાં રોચક બોધની રજુઆત કરી છે. જેકોબી આદિ અનેક વિદેશી વિદ્વાનોએ પણ તેની વિસ્તૃત ચર્ચા કરેલી છે. આમ, અનેકવિધ વિષયોને આવરી લેતું અને દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ અને કથાનુયોગને સમાવી લેતા આ સૂત્રને આપણે ભગવાનના ઉપદેશની સમગ્રતાના સારરૂપ ગણી શકીએ અને તેના સાચા અધ્યયનથી સ્વ-પર કલ્યાણના માર્ગે આગળ વધી શકીએ. - શ્રી સમાધિશતક ૧. આ એક નાનો પણ ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ છે. ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ આધ્યાત્મિક ગ્રંથ તરીકે, વડોદરા યુનિવર્સિટી તરફથી, તેની પહેલી ગુજરાતી આવૃત્તિ, ઈ.સ. ૧૮૯૧માં બહાર પડી હતી. s-૪પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy