SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ન સંસ્કાર ૧૨. તેમની સર્વતોમુખી સાધના મધ્ય, જ્ઞાનસાધના બહુ તીવ્ર હતી. તેમણે ૮૪ પાહુડની રચના કરી હતી. તેમાંથી હાલમાં લગભગ ૧૦-૧૨ જેટલા પાહુડ ઉપલબ્ધ છે. ૧૩. પાંચ પરમાગમ (સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર અને અષ્ટપાહુડ)માં સમયસાર તેમની મુખ્ય રચના છે. તેની ૪૧૫ ગાથાઓ છે. તેની રચના તેમણે લગભગ ૮૫ વર્ષની ઉંમરે કરી હતી. તે દૃષ્ટિપ્રધાન ગ્રંથ છે અને ગુરુગમ દ્વારા જ સમજી શકાય છે. નિગ્રંથ મુનિઓ, અને જ્ઞાનીજનો તથા ઉત્તમ કક્ષાના મુમુક્ષુઓ માટે આ ગ્રંથ વિશેષ કરીને ઉપયોગી છે. તેના ઉપર આચાર્યશ્રી અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિ નામની ટીકા લખેલી છે, તે સર્વશ્રેષ્ઠ છે અને તેનો જે પદ્યવિભાગ છે તે સમયસારકળશ નામે પ્રખ્યાત છે. ત્યારબાદ જયસેનાચાર્યું અને અનેક વિદ્વાનોએ તે મહાન ગ્રંથ પર ટીકાઓ લખેલી છે. ૧૪. પ્રવચનસારમાં ર૭૫ ગાથા છે; અને ત્રણ અધ્યાય છે, જેમને જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપન, શેયતત્ત્વ-પ્રજ્ઞાપન અને ચરણાનુયોગ ચૂલિકા - એવાં નામ આપેલાં છે. ૧૫. પંચાસ્તિકાયમાં ૧૭૩ ગાથા છે (પાંચ અસ્તિકાયનું વર્ણન છે). ૧૬. અષ્ટપાહુડ આ પ્રમાણે છે: દર્શન, બોધ, લિંગ, ભાવ, ચારિત્ર, સૂત્ર, મોક્ષ અને ભાવ. પાહુડ એટલે ભેટ. ભાવપાહુડ સૌથી મોટું છે. ૧૭. રયણસાર ગ્રંથની લગભગ ૧૬ર ગાથા છે. તેમાં વ્યવહાર અને નિશ્ચય બંને નયોને સાથે રાખીને શ્રાવક અને મુનિના s-૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy