SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મ - આગળ હોય છે. બન્ને સમ્યકત્વ નિશ્ચય સમ્યકત્વ છે; પણ ચારિત્રની તરતમતા ઉપરનાં ગુણસ્થાનકોમાં વિશેષ હોવાથી આવો ભેદ કહ્યો છે. વીતરાગ સમ્યક્ત શુદ્ધોપયોગી મુનિરાજને જ હોય છે. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું અને શ્રદ્ધવું તેનું નામ સમ્યગદર્શન છે. પરમાર્થધર્મનો પ્રારંભ નિશ્ચય સમ્યકત્વથી જ થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે, નિશ્ચયનયની અપેક્ષાએ બે પ્રકારના પુરુષાર્થ સાથે કરવો પડે છે : ૧. મારે બધાય પ્રકારના કષાય સર્વ રીતે ઘટાડવા છે એવો અભિપ્રાય અને ઉદ્યમ. ૨. “હું જ્ઞાનસ્વરૂપી આત્મા છું' અને “જગતના કોઈ પદાર્થોનો હું સ્વામી નથી” એવો બોધ, જાગૃતિ અને શ્રદ્ધા. કોઈ પણ જીવને પરમાર્થધર્મ પ્રગટે તેને ભારતીય સંસ્કૃતિમાં પરમાત્મદર્શન અથવા આત્મ-સાક્ષાત્કાર કહે છે. વીતરાગ દર્શનમાં તેને નિશ્ચય-સમ્યકત્વ કહે છે. • સ્વસત્તા વડે ઉપયોગ નજરાય તેનું નામ આત્મલક્ષ. પરમાર્થથી જોતાં તે દશા જ્ઞાનીને જ પ્રગટે છે; અન્યને તે સામાન્ય અભ્યાસરૂપે હોય છે. A-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy