SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પોતાના દોષોની પ્રમાણિકપણે નિંદા અને બીજાના ગુણોની હૃદયપૂર્વક પ્રશંસા કરવાથી સાધકની ત્વરાથી ઉન્નતિ થાય છે. મમતાથી બંધન, પરિભ્રમણ અને દુઃખ તથા સમતાથી સ્વાધીનતા, સ્થિરતા અને સહજાનંદનો અનુભવ થાય છે; માટે વિવેક અને પરાક્રમ દ્વારા સમતાની પ્રાપ્તિનો અવશ્ય ઉદ્યમ કરવો. જેમ કોઈ મોટી વ્યક્તિ, રાજા, નગરશેઠ આદિ આવવાના હોય તો તે પહેલા તેના એંધાણરૂપે દૂત, પોલીસનો કાફલો, એસ્કોર્ટ-કાર, અંગરક્ષકો કે અંગત સચીવો વગેરેનું આગમન થાય છે તેમ અધ્યાત્મ જીવનમાં શુદ્ધાત્મજ્ઞાનપ્રકાશ કે નિર્વિકલ્પ પરમાર્થ-અનુભવ પહેલાના દિવસો કે મહિનાઓમાં સાધકને ઘણુંખરું સાત્ત્વિક-આનંદની લહેરીઓ, રોમાંચ, સુખદ ઝણઝણાટીઓ કે દિવ્ય સંગીતના નાદ અથવા શુભ સ્વપ્રાઓ વગેરેની પ્રાપ્તિ થાય છે. જેના જીવનમાં ઇચ્છાઓ, ઇન્દ્રિયો અને કર્મોનું આધિપત્ય હોય તેને સાચા આનંદની પ્રાપ્તિ થાય નહીં, કારણ કે તેનું જીવન પરમાર્થથી પરાધીન છે. જો જીવનમાં આત્માનું શાસન આવે તો સ્વાધીન અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય. ધનાદિની વૃદ્ધિ ત્વરાથી થવા માંડે તેવા સંજોગોમાં, વિવેકી મનુષ્ય પણ જલ્દી જલ્દી સત્કાર્યોમાં તેનો સદુપયોગ કરવા માંડવો. જો સંપત્તિ બહુ વધી જાય તો પછી તેના સંરક્ષણ અને વૃદ્ધિમાં મનુષ્ય એકદમ ઊંચાઈ જાય છે અને લોભમાં - A- ૩૬ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy