________________
અધ્યાત્મ પ્રમાણમાં રાગદ્વેષ પરિણતિ ન હોય તેટલા પ્રમાણમાં સમભાવ
હોય છે. * જીવોના વિષમ પરિણામ પ્રત્યે સત્પષોનો સમભાવ
વ્યવહાર જીવનમાં એમ જોવામાં આવે છે કે વાહનવ્યવહારના, આવકવેરાના, સામાજિક ન્યાયના અને એવા બીજા જે કાયદાઓ છે તેનો, મોટા ભાગના લોકો ભંગ કરે છે અને તેમને સમજાવવા છતાં પણ સમજતા નથી અને ઉદ્ધતાઈથી ન્યાયવિરુદ્ધ જવાબ આપી એમ વર્તવામાં બડાઈ અનુભવે છે.
પરમાર્થ જીવનમાં પણ જ્ઞાની પુરુષોની સદ્ધર્મપ્રેરક આત્મકલ્યાણકારી વાણી સાંભળ્યા છતાં લોકો તેને આવકારતા નથી. મધ્યસ્થ ભાવથી તેના સારાસારપણાનો વિવેક કરતા નથી અને સત્યમાં (સત્યસ્વરૂપ જ્ઞાનીની વાણીમાં) પણ લોકલાજથી, રૂઢિધર્મથી, કુયુક્તિથી, વ્યક્તિરાગથી અથવા અજ્ઞાનથી દોષારોપણ કરે છે અને સત્યને માત્ર અવગણતા જ નથી પણ તેનો વિરોધ સુદ્ધાં કરે છે.
તો અહીં એમ સમજવું કે જેમ લૌકિક અન્યાય સહન કરવો વાજબી માનીએ છીએ તેમ ભવિષ્યમાં “સ'નું પ્રકાશન કરતી વખતે તેથી ઘણો વિશેષ અન્યાય સહન કરવા માટે તૈયાર રહેવું તેમાં જ ખરી મહત્તા છે અને પોતાનાં પરિણામોને માધ્યસ્થભાવમાં રાખી નિજ જ્ઞાનની આરાધનામાં પ્રવર્તવું શ્રેયસ્કર માનીએ છીએ. શાસ્ત્રની આજ્ઞા અને જ્ઞાની પુરુષોની ભાવના પણ તેમ જ કરવાની છે. યથા -
'माध्यस्थभावं विपरीतवृत्ती, सदा ममात्मा विदधातु देव।'
(શ્રી અમિતગતિ સામાયિક)
A - ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org