SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ૧૪. જે સાચા ભાવથી પ્રાયશ્ચિત્ત કરે છે તેને તે પ્રાયશ્ચિત્તનું ફળ અવશ્ય મળે છે. અલ્પ કે મધ્યમ સંકલ્પ બળવાળા મનુષ્યોને, જોકે તે દોષની પુનરુક્તિ કોઈકવાર પ્રાયશ્ચિત્ત કરવા છતાં પણ થઈ જાય છે તો પણ દૃઢ નિર્ધાર અને વારંવારના સાચા હૃદયના શુદ્ધિકરણથી ગમે તેવો મહાન દોષ પણ ક્ષીણ થઈ અંતે નાશ પામે છે. મોક્ષમાર્ગમાં સાચો પુરુષાર્થ જ સિદ્ધિનું નિયામક કારણ છે, તેથી આચાર્યોએ સત્પુરુષાર્થની પ્રેરણા કરી છે. * વિભિન્ન શ્રેણિના સાધકો માટેની નિયમનિર્દેશિકા ઉદ્દેશ ઃ જ્ઞાન / વૈરાગ્ય / ભક્તિ | સેવાભાવ – આ ચારેયનો સમન્વયાત્મક વિકાસ ત્વરાથી કરવો એ આપણી સાધનાનું ધ્યેય છે; માટે કોઈ એક સાધન ભલે આપણી તાસીર અને સંસ્કારને વધારે માફક આવે તો પણ, થોડો થોડો અન્યનો પણ અભ્યાસ કરવો જોઈએ; તથા સ્વીકાર તો અંતરમાં સમસ્ત સાધનોનો કરવો જોઈએ. આ ચારનો યથાયોગ્ય સમન્વય સાધવા અર્થે વિભિન્ન કક્ષાના સાધકો માટે ઉપયોગી થાય તેવી નિયમાવલી નીચે આપેલ છે. સામાન્ય સાધકો માટે : ૧. દરરોજ અર્ધો કલભાવપૂર્વક ભક્તિ-પ્રાર્થના કરીશ. ૨. કોઈપણ બાબતમાં કોઈનો પણ વિશ્વાસઘાત નહિ કરું. ૩. પ્રાણીઓ કે નોકરો પાસે વેઠ કરાવીશ નહિ. તેમને યોગ્ય હક્કો અવશ્ય આપીશ. ૪. બહેન, દીકરી, કર્મચારી, નિરાધાર, નિર્બળ, નાના-મોટાભાઈ, Jain Education International Â-છ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy