________________
—-જીવન-વિજ્ઞાન - વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.”
(શ્રીમદ્ રાજચંદ્ર – અંતિમ સંદેશ) જ્ઞાનની વ્યાખ્યા : (શ્રીમદ્ રાજચંદ્ર – શ્રી ઉપદેશ છાયા – મુદા ૧૨ ના આધારે) જ્ઞાન તો તે કે જેનાથી – ૧. વૃત્તિ બાહ્યમાં જતી રોકાય; ૨. સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે; ૩. સાચાને સાચું જાણે; અને ૪. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. કોઈ પણ ઓરડો 100 વર્ષથી બંધ હોય પણ જ્યારે તેને ખોલીને દીવો કરવામાં આવે ત્યારે પ્રકાશ થતાં બીજાં ૫૦ વર્ષ લાગતો નથી, પણ જેવો તે દીવો થાય તે જ સમયે અંધકારને નાશ થઈ પ્રકાશ થાય છે; તેમ જ્યારે પણ જીવમાં યથાર્થ જ્ઞાન પ્રગટે છે ત્યારે અજ્ઞાનનો તે જ ક્ષણે નાશ થાય છે. યથા – “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.”
(શ્રીઆત્મસિદ્ધિ, ગાથા - ૧૧૪) દર્શનમોહનીયને તોડવાના (આત્મજ્ઞાનપ્રાપ્તિના) ત્રણ ઉપાયો છે :
J - ૯૦ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org