SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ન જીવત-વિજ્ઞાન છે ચારે બાજુ નીચે પાડનારાં બળોથી જ ઘેરાયેલો છે. બધો સંગપ્રસંગ પ્રાયે અસત્સંગ જેવો છે. ચાલવા માટે, નાના બાળકને જેમ ચાલણગાડી કે હાથના ટેકાની જરૂર છે, તેમ સાધકને સાચા આત્માર્થી - મુમુક્ષુ કે સત્પષના ટેકાની જરૂર છે. જોકે સાચો સત્સંગ અત્યંત દુર્લભ છે તોપણ યથાશક્તિ જેટલો મળે તેટલો સત્સંગ કરી લઈ, આત્મબળ વધારતા રહી, અભ્યાસ કરવો. સમયનો સદુપયોગ : ધ્યાન સમયે જ ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન સિદ્ધ થાય નહિ, પણ આત્મસ્વરૂપનો (પોતાના મૂળ સ્વભાવનો) દિવસ-રાત દરમિયાન વારંવાર લક્ષ રહે તો ધ્યાનમાં એકાગ્રતા જલદીથી આવે. આ માટે યથાર્થદષ્ટિ અને ગુરુનું સાન્નિધ્ય પરમ ઉપકારી છે જેના યોગે સ્વરૂપવિચાર, સ્વરૂપસ્મરણ, સ્વરૂપધ્યાન, સ્વરૂપ અનુભવ આ ક્રમ ધીરે ધીરે સિદ્ધ થાય છે. આવો અભ્યાસ સિદ્ધ થવા માટે નીચેના પ્રયોગો ખૂબ જ ઉપકારી છે. ૧. દરરોજ ઓછામાં ઓછું દસ વખત ભગવાનનું સ્મરણ કરવું. દા.ત., (૧) ઊઠીને તુરત, (૨) દાંત સાફ કરતાં, (૩) દાઢી કરતાં, (૪) નાહતાં, (૫) કપડાં પહેરતાં, (૬) વાળ ઓળતાં, (૭) દૂધ-ચા પીતાં, (૮) નોકરીએ – દુકાને જતાં, (૯) ભોજન લેતાં, (૧૦) સૂતા પહેલાં. ૨. આંગળી કે કાંડા પર રબરની કે સૂતરની ઇત્યાદિ દોરી બાંધી રાખવી જેથી ભગવસ્મરણની યાદી થઈ આવે - Reminder તરીકે. ૩. પાકીટમાં સદ્ગુરુ કે ભગવાનનો ફોટો રાખવો. ૪. હથેળીમાં કે કાંડા ઉપર ભગવાનનું નામ કે મંત્ર લખી રાખવો. 4- ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy