SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ - જીવત-વિજ્ઞાન ) આસન : ચટાઈ, શેતરંજી કે પાટ ઉપર પોતાને અનુકૂળ આવે એવું કોઈ પણ એક આસન સ્વીકારવું. વિશેષ સાધકો માટે પદ્માસન ઉત્તમ છે. આસનની સિદ્ધિ વિના ધ્યાનમાં ગણનાપાત્ર વિકાસ થઈ શકતો નથી, માટે આસનજય (પોણો કલાકથી ત્રણ કલાક સુધીની સમયમર્યાદામાં કોઈ પણ સમય)નો અભ્યાસ ઉપકારી છે. આહાર : પેટનો અને મગજના જ્ઞાનતંતુઓનો ઘનિષ્ઠ સંબંધ છે. પેટ ભોજનથી ભરેલું હોય તો ધ્યાનમાં ચિત્ત લાગે નહિ, અકળામણ થાય, આળસ-ઊંઘ-પ્રમાદ ઊપજે; માટે મિતાહાર ઉત્તમ છે. સાંજનો આહાર અલ્પાહાર હોય તો રાત્રિના અને વહેલી સવારના ધ્યાનમાં ઘણી અનુકૂળતા રહેશે. બિનશાકાહારી અને તામસિક આહાર ધ્યાનના સાધકો માટે અવરોધક છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ : ધ્યાન દ્વારા આપણે આત્મતત્વનો સાક્ષાત્કાર કરવો છે. તે આત્મતત્ત્વની યથાર્થ સમજણ અનુભવી સગરુ પાસેથી મેળવવી આવશ્યક છે. જે આત્મામાં - આત્મભાવમાં - તન્મય થવું છે તેનું સ્વરૂપ જાણ્યા વિના તેનું ચિંતન કરવું કે તેના ચિંતનને ચાલુ રાખવું અનુચિંતન કરવું) બની શકતું નથી. આ કારણથી શુદ્ધ ચૈતન્યપદાર્થ એવા આત્માનું સ્વરૂપ તથા પરમાત્માનું સ્વરૂપ જાણવું, જેથી ધ્યાનમાં વૈજ્ઞાનિક અને ક્રમિક વિકાસ સાધી શકાય. ધ્યાન અને અન્ય સાધના : ધ્યાન તે સમસ્ત સાધનાનો સાર છે. જેમ છાશમાંથી જ માખણ નીકળે, પાણીમાંથી ન જ નીકળે, તેમ જે યથાર્થદષ્ટિ સહિત સાધના કરતો હોય તેને જ સાચા ધ્યાનની J-૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy