________________
જીવત-વિજ્ઞાન
જગતના જડ પદાર્થોની હેરફેરમાં જ જો જીવનનો મોટો ભાગ વીતી ગયો, તો હું મનુષ્યભવ હારી ગયો છું એમ નક્કી કરવું.
કલ્યાણની પ્રાપ્તિ થવી તે અત્યંત દુર્લભ થઈ ગઈ છે કારણ કે મનુષ્યો કુસંસ્કાર, અજ્ઞાન, અસત્પ્રસંગ અને જડ પદાર્થોથી ઘેરાઈ પણ ગયા છે અને તેમાં મૂંઝાઈ પણ ગયા છે. મોક્ષમાર્ગમાં ત્રણ મોટી રુકાવટ છે : વેર, પાપ અને અભિમાન. ♦ સામાન્યપણે, દેવ-શાસ્ર-ગુરુની પૂજારૂપ ધર્મ-પ્રવૃત્તિ વડે પુણ્યનું ઉપાર્જન થાય છે.
જેની વૈચારિક ઉદારતા જેટલી વિશાળ, તેટલી ઉચ્ચ કક્ષા તેના જ્ઞાનની સમજવી.
ચિત્તમાં સ્વતંત્રપણે ચિંતન કરવાની શક્તિ નથી. આ ચિત્તને ચિંતન કરવાની શક્તિ જે પ્રદાન કરે છે તે અલૌકિક ચૈતન્યશક્તિવાળું, અનુપમ, જ્ઞાનાનંદમય જે તત્ત્વ, તે જ આપણું સાચું સ્વરૂપ છે.
લોભને ઘટાડવાના બે ઉપાય છેઃ (અ) ધન આદિના ત્યાગ રૂપ ઉપાય. (બ) આ વિશ્વનો કોઈ પદાર્થ ખરેખર મારો છે જ નહીં એવી ભાવના કરવારૂપ આર્કિચન્યધર્મ.
ૐ મહાપુરુષોનો વિવિધ કક્ષાનો બોધ :
મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં લાગેલા મહાપુરુષોનો બોધ નીચે પ્રકારની તેમની ભિન્ન ભિન્ન અને ઉત્તરોત્તર વધતી જ્ઞાનદશામાંથી પ્રવહે છે :
Jain Education International
.૪૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org