SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત અને ભગવાન તેથી કોઈપણ પ્રકારની મોહાંધતાને વિશે રુચિપૂર્વક - બુદ્ધિપૂર્વક પ્રવર્તતા નથી. આમ કરવા માટે ખાવામાં, પીવામાં, હરવા-ફરવામાં, વાતચીતમાં, ધંધા-વ્યાપારમાં, લેણદેણમાં, કૌટુંબિક સંબંધોમાં કે અન્ય કોઈ પણ કાર્યમાં તે ભક્ત તીવ્રપણે આસક્ત થઈ જતો નથી. જગતના સમસ્ત પદાર્થો પ્રત્યેની મોહમાયાને ઘટાડવાનો પ્રયત્ન ભક્તજન નિરંતર કર્યા જ કરે છે. માટે જ કહ્યું છે : (દોહરા) વિષયસે લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિં; જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસે નહિં. - કબીરનાં આધ્યાત્મિક પદો ૧-૬-૧ આ પ્રમાણે ઉપર વર્ણવેલા ગુણો જયારે ભક્તના જીવનમાં પ્રગટે છે અને પરિપક્વતાને પામે છે ત્યારે તે ખરેખર ભક્તિની આરાધનામાં ત્વરાથી આગળ વધે છે. આવા ભક્તનું સુંદર શબ્દચિત્ર શ્રીરામચરિતમાનસમાં દષ્ટિગોચર થાય છે : (ચોપાઈ) સરલ સુભાવ ન મન કુટિલાઈ | જથા લાભ સંતોષ સાદાઈ | બૈર ન બિગ્રહ આસ ન ત્રાસા ! સુખમય તાહિ સદા સબ આસા ! અનારંભ અનિકેત અમાની અનધર અરોષ દચ્છપ વિજ્ઞાની | પ્રીતિ સદા સજ્જન સંસર્ગાતૃન સમ વિષય સ્વર્ગ અપવર્ષા આવો જે ભક્ત તેણે કોની ભક્તી કરવી ? અને શા માટે કરવી ? એમ પ્રશ્ન થાય તેનો ઉત્તર એ છે કે તેણે ભગવાનની, સદ્ગુરુની અને શુદ્ધ ૧. ઘર વગરના ૨. વિનયી ૫. કુશળ ૬. મોક્ષ ૪. ક્ષમાવાન, પાપરહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy