SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ - ભક્તિમાર્ગની આરાધના શ્રીમદ્ રાજચન્દ્રજી, શ્રી આત્મારામજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરે અનેક મહાત્માઓએ તેઓના પ્રત્યે જે બહુમાન તથા આદર-સત્કારનો ભાવ પ્રદર્શિત કર્યો છે તે પરથી તેમની ઉચ્ચ અધ્યાત્મદશાનો સૌને ખ્યાલ આવી શકે છે. આવા આનંદધનજી મહારાજ આપણને સૌને ભક્તિની સાચી આરાધનામાં વિશેષપણે પ્રેરક બનો એ જ અભ્યર્થના. ૐ શાંતિઃ [૧૩] ભક્ત-કવિશ્રી દાનતરાયજી અનેક ભાવમય ભજનો, પૂજાઓ અને આધ્યાત્મિક પદોના રચયિતા તથા શાસ્ત્રોના પદ્યાનુવાદક, અધ્યાત્મકવિવર સંત શ્રી ઘાનતરાયજી, ઉત્તર ભારતમાં થયેલા વિશિષ્ટ પ્રતિભાશાળી હિંદી કાવ્યકારો અને લેખકોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જીવનપરિચય : તેમના જીવન વિષે થોડી જ માહિતી મળે છે. તેમનો જન્મ વિ. સં. ૧૭૩૩માં આગ્રા મુકામે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્યામદાસ હતું. માત્ર પંદર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. તેઓને લાલજી નામે એક પુત્ર પણ થયો હતો. વિ.સં. ૧૭૭૭માં તેઓએ સમેતશિખરની યાત્રા પણ કરી હતી. ઘાનતરાયજીની કૃતિઓ : (૧) તેમનો “ધર્મવિલાસ' નામનો ગ્રંથ સુપ્રસિદ્ધ છે. તેનું સંકલન તેઓએ પોતે જ વિ.સં. ૧૭૮૦માં કરેલ છે. તેમાં ૩૩૩ પદ, અનેક પૂજાપાઠ અને ૪પ વિષયો ઉપર કવિતાઓ સંગૃહીત કરેલી છે. ભગવાન ઋષભદેવના જન્મસમયનું વર્ણન અતિરોચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy