SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ભક્તિમાર્ગની આરાધના મુખ્ય કારણ જો અમે કાંઈ પણ જાણતા હોઈએ તો તે છે તેનો પ્રભુ પ્રત્યેનો અનન્ય, અસ્મલિત, આત્યંતિક અને અલૌકિક દિવ્યપ્રેમ. તેની પ્રાપ્તિ માટે જ એ આપણને પ્રેરણા કરી જાય છે : (ઝૂલણા છંદ) (૧) સરસ ગુણ હરિ તણા જે જનો અનુસર્યા. તે તણો સુજશ તો જગત બોલે; નરસૈયો રંકને પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધઊરધની માંહે મહાલે, નરસૈયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩) પરપંચ પરહરો, સાર હૃદયે ધરો, ઊચરો મુખ હરિ અચળ વાણી; નરસૈયા ! હરિ તણી ભક્તિ ભૂલીશ નહિ, ભક્તિ વિના બીજું ધૂળધાણી. [૧૧] પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ અનેક સદીઓ વીતી જવા છતાં જેનાં પ્રભુપ્રેમનાં પદો આજે પણ ભક્તહૃદયના તારોને ઝણઝણાવીને તેનામાં પ્રભુભક્તિનો સંચાર કરે છે તેવાં ભક્તશિરોમણિ મીરાંબાઈના નામથી ગુજરાત-રાજસ્થાનમાં કયો ભક્ત પરિચિત નથી? આપણા દેશનાં તેઓ એક મહાન ભક્ત કવયિત્રી થઈ ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy