SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સાધક-સાથી કાર્યકલાપને મોક્ષમાર્ગની આરાધના કહે છે. તે સિદ્ધ કરવા માટે જે જે સFરુષાર્થ કરવાનો છે તે પુરુષાર્થની નીચે પ્રમાણે શ્રેણી પાડી શકાય ? (૧) પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધકને જ્ઞાની પુરુષો કહે છે કે, ભાઈ ! તારા દેહનો વિલય થાય તે પહેલાં જ તારા જીવનમાં રહેલા અનેકવિધ દોષોનો વિલય કર અને તેમ કરવા માટે સૌથી મોટો એવો સ્વછંદ નામનો મહાદોષ છે, તેનો સત્સંગના યોગમાં રહીને વિલય કર અને સદ્ગુણસંપન્ન થા. આમ, એક બાજુ સ્વચ્છેદરૂપી મહાન દોષ અને બીજા અનેકવિધ દોષોનો વિલય કરીને સત્પાત્રતા પ્રગટ કરવાની છે ત્યારે બીજી બાજુ સગુરુ - સલ્ફાસ્ત્ર આદિ દ્વારા તત્ત્વનો બોધ પામવાનો પણ પુરુષાર્થ કરવાનો છે. આ પ્રમાણે પ્રાપ્ત કરવા યોગ્ય તત્ત્વના બોધમાં મુખ્યપણે પ્રયોજનભૂત એવાં જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાનું છે અને વારંવાર તે બોધનું મનન કરીને સ્વરૂપને વિશે આત્મબુદ્ધિ કેળવવાની છે. યથા : મંદ વિષય ને સરળતા, સહઆજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરિયે જ્ઞાનવિચાર, અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. (૨) આમ, બોધના સતત અભ્યાસથી જે મુમુક્ષુ સાધકે દૃઢપણે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જ પોતાનું માન્યું હોય તેણે જગતના દેહ આદિ પદાર્થો અને ક્રોધ-માન આદિ વિકારી ભાવોને પોતાના માન્યા નથી તે સહેજે સમજી શકાય છે, કારણ કે શુદ્ધ દૃષ્ટિએ જોતાં આ ક્રોધાદિ ભાવો આત્માના મૂળ સ્વભાવમાં નથી, પણ કર્મનિમિત્તથી જીવની અસાવધાની હોતાં પોતાની અવસ્થામાં નવા નવા ઉત્પન્ન થાય છે. આનો અર્થ એમ થયો કે સાધકે આ ક્રોધાદિ ભાવોને પોતાના સ્વભાવથી ઊલટા - વિપરીત જાણ્યા છે, દુઃખરૂપ જાણ્યા છે, અપવિત્ર જાણ્યા છે અને તેથી તે ભાવોને સર્વથા છોડવાનો તેણે નિર્ણય કર્યો છે. (૩) આવો પ્રબુદ્ધ સાધક જાણે છે કે જો પોતે પોતાના સ્વરૂપની સાધનાનું લક્ષ છોડી દુનિયાની વસ્તુઓમાં પોતાનું ચિત્ત રુચિપૂર્વક લગાવે તો જ તે વિભાવભાવો ઊપજે છે અથવા વર્ધમાન થાય છે. હવે જો સાધક તે તે વિભાવભાવોને રુચિપૂર્વક અંગીકાર ન કરે અને જે જે જીવનપ્રસંગો, વાર્તાલાપો, વાચનપદ્ધતિઓ કે જીવનની બીજી પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy