SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શબ્દો તેમના મુખમાંથી કોઈ પણ વખત નીકળ્યા નહિ. આવા મહાન પુરુષોને જગતના કોઈ પણ બીજા પદાર્થો પ્રત્યે તો મોહ નથી હોતો પણ પોતાના શરીર પ્રત્યે પણ તેઓને સર્વથા નિર્મોહીપણું હોય છે એ વાત તેમના આવા પ્રસંગોથી આપણને જાણવા મળે છે. * [3] સાધક સાથી * લગભગ સવાસો વર્ષ પહેલાંનો જમાનો. પૂનમની રાત અને ગંગાનો કિનારો. ગંગામાં એક નાની હોડી જઈ રહી હતી. માત્ર એક નાવિક અને એક પ્રવાસી. નાવિક આખા દિવસના કામથી કંઈક થાકેલો લાગતો હતો તેથી પ્રવાસીએ કહ્યું : “ભાઈ ! થોડી વાર આરામ કરીને પછી આગળ ચાલીએ.' થાકેલા નાવિકને આ વાત તરત ગળે ઊતરી ગઈ અને હોડીને નાંગરીને એ જરા આડો પડ્યો. Jain Education International આ બાજુ પ્રવાસી કિનારે ઊતરી આજુબાજુ આંટા મારી રહ્યા હતા તેવામાં એમની નજર કોઈ વસ્તુ ઉપર પડી. તેઓ તુરત જ નાવ તરફ દોડ્યા અને નાવિકને કહ્યું : ભાઈ ! જલદીથી આગળ હોડી ચલાવ.' નાવિકે પૂછ્યું : તમને શેનો ડર લાગ્યો તે કહો તો ખરા ?′ પણ પ્રવાસી કહે : તમે હોડી ચલાવો પછી કહું.' બન્ને હોડીમાં બેઠા અને થોડું અંતર કાપ્યું એટલે નાવિકે કહ્યું : “તમે શું જોયું તે વાત હવે કહો.’ પ્રવાસી કહે : ‘ભાઈ ! હું નદીકિનારે ફરતો હતો ત્યાં એક રોકડા રૂપિયા ભરેલી થેલી મેં જોઈ. મને વિશ્વાસ ન આવવાથી બરાબર તપાસ કરી જોઈ પણ મારું મન ચવિચળ થઈ ગયું તેથી હું ત્યાંથી દોડ્યો અને તમને તરત જ હોડી હંકારવા કહ્યું. મારા જેવા સામાન્ય માનવીને આ જોઈ લોભ-લાલચ થઈ જાય અને અધિકાર વગરની વસ્તુ હું લઈ લઉં તે મને કેમ શોભે ? માટે તરત જ સંકલ્પ કરીને ત્યાંથી ભાગ્યો.’ નાવિક તો પ્રવાસીની સામે જોઈ જ રહ્યો. તેના મુખ ઉપર દૃઢ પ્રામાણિકતાની સૌમ્યતા હતી. આ પ્રવાસી ભાઈનું નામ દીનદયાળ. તેમના સુપુત્ર બંગાળમાં નાગ મહાશય નામના મહાન પુરુષ થયા, જેઓએ શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતેવાસી શિષ્ય તરીકે પોતાનું જીવન વિતાવ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy