SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મોહીપણું 39 નિર્મોહીપણાનાં જીવંત દૃષ્ટાંતો [૧] ગયા સૈકામાં બંગાળમાં શ્રીયુત રામતનુ લાહિરી નામના એક મોટા વિદ્વાન થઈ ગયા. તેમના જીવનમાં સાદાઈ અને સંતોષ જેમ પ્રગટપણે દેખાતા તેમ સત્યનિષ્ઠા અને નિયમિત અધ્યાત્મસાધના પણ ઓતપ્રોત થઈ ગયાં હતાં. તેમને ઘેર અઠવાડિયામાં અમુક ચોક્કસ દિવસે સત્સંગભક્તિનો કાર્યક્રમ રહેતો. છ તેમનો મોટો પુત્ર એમ.એ.ના છેલ્લા વર્ષમાં હતો અને ઘણો બુદ્ધિમાન હોવાને લીધે દર વર્ષે સ્કૉલરશિપ અને ઈનામો તેને મળતાં. ભાગ્યનું બદલવું અને એકાએક આ પુત્ર મૃત્યુ પામ્યો. તેનું શબ તે ઓરડામાં જ હતું કે જ્યાં સૌ સત્સંગીઓ ભેગા મળતા. સમય થતાં સૌ સત્સંગીઓ આવવા લાગ્યા અને એક સત્સંગી તે ઓરડામાં જતો હતો તેને રોકીને પંડિતજીએ કહ્યું : ‘આપણે આજનો સત્સંગ બીજા ઓરડામાં રાખ્યો છે. તેમાં તો છોકરાનું શબ છે.' આ વાત સાંભળી પેલા આવનાર ભાઈના હોશકોશ ઊડી ગયા, પરંતુ એટલામાં તો પંડિતજીએ કહ્યું : “આપણો સમય થઈ ગયો છે, મંગલાચરણ ચાલુ કરો.' આ બાજુ સત્સંગ પૂરો થયો અને આ બાજુ છોકરાની ઉત્તરક્રિયાની તૈયારીઓ થઈ. પંડિતજીના મુખ ઉપરથી કોઈ કહી શકતું નહોતું કે તેમના મોટા પુત્રનું હમણાં જ અવસાન થયું છે. આ છે સાચી સાધનાનું ફળ ! જેટલો મોહ ઘટ્યો તેટલી સાધનાની સફ્ળતા. [૨] ઇ.સ. ૧૯૫૨માં આચાર્ય શાંતિસાગરજી મહારાજ દહીંગાંવ (મહારાષ્ટ્ર)માં વિરાજમાન હતા. પગમાં ખીલી વાગી હોવાથી જખમ થયો હતો. જો કે બાહ્ય દવાનો ઉપચાર ચાલુ હતો પરંતુ મહારાજ તો સ્વસ્થ જ રહેતા. તેઓ કહેતા : શરીરનું કામ શરીર કરે, રોગનું કામ રોગ કરે અને આત્માનું કામ આત્મા કરે.’ Jain Education International વિવેક (ભેદવિજ્ઞાનની ભાવના) તેમનો જીવનમંત્ર હતો. જખમને રૂઝ આવતાં પંદરેક દિવસ લાગેલા તે દરમિયાન જ પોતે સલ્લેખના લીધી અને તેના છેલ્લા દિવસોમાં પણ કોઈ વાર અરેરે ! ઓહ !' ઇત્યાદિ ખેદસૂચક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy