SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ભૂમિકા વિનય એટલે પૂજ્ય (પુરુષો અને વસ્તુઓ) પ્રત્યે અંતરનો આદરભાવ. ખરેખર જોઈએ તો વિનય એટલે નમ્રતા આપણો પોતાનો જ આત્માનો જ સ્વાભાવિક ગુણ છે. આત્મામાં જે અનેક ગુણો જ્ઞાન, શ્રદ્ધા, સંતોષ, ક્ષમા વગેરે છે તેમાં વિનય પણ આવી જાય છે. અહીં પ્રશ્ન થાય કે આવો વિનય જો સ્વાભાવિક ગુણ હોય તો કેમ તે પ્રગટ અનુભવમાં આવતો નથી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે પ્રથમ તો પોતાના ગુણોથી જગતના સામાન્ય માણસો અજ્ઞાત છે અને બીજું તે સ્વાભાવિક ગુણ તરફ લક્ષ નહિ દેતાં તેના પ્રતિસ્પર્ધી (માનમોહનીય કર્મના ઉદયથી થતો) અભિમાનરૂપી મદનો જે ભાવ તેનું નિરંતર પોષણ કર્યા કરે છે. આમ, અજ્ઞાન અને ઊંધા અભ્યાસને લીધે માણસને વિનયગુણની પ્રાપ્તિ થતી નથી. વિનય . વિનયગુણની આરાધના વિનયગુણનો નાશ કરનારા અભિમાનના મુખ્ય આઠ પ્રકાર પ્રજ્ઞાવંત આચાર્યોએ પ્રરૂપ્યા છે જે જાણવાથી વિનયગુણની આરાધના સરળ બની જાય છે અને ત્વરાથી તેમાં સફળતા મળે છે. આ આઠ પ્રકારના મદ નીચે પ્રમાણે છે : Jain Education International સદ્ગુરુબોધ દ્વારા સત્સંગના યોગમાં રહી ચિંતનમનન દ્વારા અથવા સત્શાસ્ત્રોના અધ્યયનથી પોતાને પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના વિપુલ જ્ઞાનને કારણે પોતાને મહાન માનવો અને બીજાને પોતાથી હીન, તુચ્છ માનવા તે જ્ઞાનમદ. અનેક પ્રકારના લૌકિક અને લોકોત્તર ગુણો પ્રગટ્યા હોવાથી અને પુષ્કળ સંપત્તિ આદિનો યોગ થવાથી જગતમાં પોતાની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હોય અને મોટા મોટા રાજા-મહારાજા શ્રીમંત-શાહુકાર કે વિદ્વાનો અને ત્યાગીઓ દ્વારા પોતાને પૂજા, સત્કાર આદર મળ્યાં હોય તે કારણથી પોતાને ઉચ્ચ માનવો તે પૂજામદ. પોતાના પિતા કોઈ નાગર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy