SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન ૪૩ આમ, તેમના મૌનમાં હજારો શાસ્ત્રોનો સાર સમાયેલો હોય છે. [૩] કલકત્તાથી દિલ્હી તરફ રેલગાડી પુરઝડપે દોડી રહી હતી. રેલવેના ડબ્બામાં બે અંગ્રેજ મુસાફો અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યા હતા. એક મુસાફર બીજાને સંભળાવી રહ્યો હતો : “જુઓ, છે ને મોટો ઠગારો ! આટલી નાની ઉંમર, તંદુરસ્ત શરીર અને કામ કરવાની તાકાત તોય સાધુનાં કપડાં પહેરી મફતના રોટલા ખાવા અને અહીંતહીં રખડવું. આવા તો કેટલાય બાવા આ ભારતમાં છે અને લોકો પણ અંધશ્રદ્ધાથી તેમને પોષે છે.’ આમ અનેક પ્રકારની ટીકાઓ થતી હતી તો પણ સામી સીટ પર બેઠેલા શાંત મુદ્રાવાળા પેલા સંન્યાસી તો ચિંતનમગ્ન જ બેઠા હતા. વાતવાતમાં સ્ટેશન આવ્યું. સ્ટેશન માસ્તરે સંન્યાસીને જોતાં જ પ્રણામ કરી અંગ્રેજીમાં જ પૂછયું : “આપની સેવામાં શું લાવું ?” બસ, એક પ્યાલો પાણી લાવજો. બીજું કાંઈ લેવું નથી.” સંન્યાસીએ અંગ્રેજીમાં જ જવાબ આપ્યો. આટલું સુંદર અંગ્રેજી એક સંન્યાસી બોલે છે તે જાણી પેલા બે અંગ્રેજ મુસાફરો ઘૂંવાંપૂવાં થઈ ગયા. તેમને શી ખબર કે આ સંન્યાસી ભણેલો હશે ? તેઓએ તે સંન્યાસીની એટલી બધી નિંદા કરી હતી પણ સંન્યાસી તો એક શબ્દ પણ બોલ્યા નહોતા. તેમની મુદ્રા તો પહેલાંના જેવી જ પ્રસન્ન હતી. પેલા મુસાફરોએ તેમને પૂછયું : “મહારાજ, તમે અમારી નિંદાનો પ્રત્યુત્તર કેમ ન આપ્યો ?” તેઓ કહે : “ભાઈઓ ! હું તો મારા જીવનકાર્યની વિચારણામાં જ ગૂંથાયેલો રહું છું કોઈની સાથે વાદવિવાદમાં પડતો નથી.’ સંન્યાસીના શાંત સ્વભાવ અને મૌનવ્રતની સાધનાથી પેલા મુસાફરોને પોતે કરેલી નિંદા બદલ ખૂબ પસ્તાવો થયો. આ સંન્યાસી તે સ્વામી વિવેકાનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy