SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્વરૂપ ૩૦૯ પ્રશ્ન ૧૦: આત્માની શક્તિઓ કયા ક્રમથી પ્રગટે ? ઉત્તર ૧૦ આત્માની અનંત શક્તિઓ છે તે બધી શક્તિઓ ક્રમે કરીને. સાચી સાધનાપદ્ધતિને અનુસરવાથી, જેમ જેમ પ્રતિસ્પર્ધી કર્મોને હટાવવામાં આવે તેમ તેમ પ્રગટ થાય છે. પ્રશ્ન ૧૧ : આત્માની શક્તિઓ જે સાધનાપદ્ધતિ દ્વારા પ્રગટે તે સાધનાપદ્ધતિ બતાવો. ઉત્તર ૧૧ સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ - આ ત્રણની એકત્વરૂપ અને અવિરુદ્ધ સાધના કરવાથી આત્મશક્તિઓનો. પ્રકાશ થાય છે. પ્રશ્ન ૧૨ ઃ આવી સાધના દૈનિક જીવનમાં કયો ક્રમ સેવવાથી સિદ્ધ થઈ શકે તે વિગતવાર, વિસ્તારથી અને વ્યાવહારિક પદ્ધતિથી (by practical methods) જણાવો. ઉત્તર ૧૨ તે સાધનાની બે ભૂમિકા છે : પ્રથમ ભૂમિકામાં મુખ્યપણે. અજ્ઞાનના નાશ દ્વારા આત્મબોધની અને આત્મશાંતિની પ્રાપ્તિ કરવાની છે. બીજી ભૂમિકામાં સ્થિરતારૂપ વિશિષ્ટ સંયમ દ્વારા આત્માના સાતિશય, અતીન્દ્રિય અને તાત્ત્વિક આનંદની પૂર્ણપણે પ્રાપ્તિ કરવાની છે. પ્રશ્ન ૧૩: પ્રથમ ભૂમિકારૂપ આત્મબોધ અને આત્મશાંતિની પ્રાપ્તિનો ક્રમ અને ઉપાય સવિસ્તર બતાવો. ઉત્તર ૧૩ સૌ પ્રથમ, મારે શાશ્વત અને સત્ય આનંદ પ્રાપ્ત કરવો છે એવો. અફર નિર્ણય કરવો. ત્યાર બાદ તેવો આનંદ થોડો કે વધુ જેમને પ્રાપ્ત થયો હોય તેવા સાચા સંત પાસે જવું* તેમના સાનિધ્યમાં રહી તેમનો પરિચય કરવો. તેમના પ્રવચન-સત્સંગમાં જે સામાન્ય ઉપદેશ હોય છે તેમાં સમજણપૂર્વક રસ અને ઉત્સાહ લઈને. તેની નોંધ કરીને પોતાની પાત્રતા વધારવી. આમ વારંવાર તેમના સમાગમને અને બોધને સમજવાથી અને અનુસરવાથી સાધકની ભૂમિકા એક બે વર્ષમાં તૈયાર થાય છે. આ ભૂમિકા તૈયાર થાય ત્યારે, સંત સાધકને વિશિષ્ટ બોધ આપે છે, જેમાં સતત આત્મજાગૃતિરૂપી મહામંત્રની દીક્ષા દ્વારા સ્વરૂપ * દેવ-ગુરુનું સ્વરૂપ” એ નામનું પ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy