SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-ગુરુનું સ્વરૂપ પૂજ્ય શ્રીગુરુઓનો ઉપદેશ જ સંગ્રહાયેલો છે, છતાં સાધકને પ્રત્યક્ષ ગુરુના ચૈતન્યયી વ્યાપ્ત અને સભર વ્યક્તિત્વ વડે જે સૂક્ષ્મ બોધ અને રહસ્યમય પ્રેરણા તથા ઉલ્લાસ પ્રાપ્ત થાય છે તે આ ગતમાં ખરેખર અજોડ છે અને આ વાત માત્ર અનુભવગમ્ય છે, તર્કગમ્ય કે વિવાદગમ્ય નથી. સંતો કહે છે : “તત્ત્વને યથાર્થપણે દર્શાવનારો શ્રીગુરુનો બોધ જો મારા હૃદયમાં જાજ્વલ્યમાન છે તો આ શરીરનું જેમ થતું હોય તેમ થાઓ, મને તેનો ખેદ નથી, કારણ કે ગુરુઉપદેશના પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદ દેવાવાળી મોક્ષલક્ષ્મી શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે.” બિના નયન પાવૈ નહીં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.'' ‘તેનું સ્વપને જો દર્શન પામે રે, તેનું મન ન ચડે બીજે ભામે રે.’’ “ગુરુ કે ઉપદેશ સમાગમસે જિસને અપને ઘટ ભીતરમેં બ્રહ્માનંદ સ્વરૂપકો જાન લિયા, ઉન્હેં સાધન ઔર ક્રિયા ન કિયા.'' પ્રશ્ન : ૧૩ દેવ-ગુરુનો મહિમા શાસ્ત્રોને આધારે બતાવો. ઉત્તર : ૧૩ (૧) પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવ નિધિ, પ્રભુદર્શનસે પામિયે સકલ મનોરથ-સિદ્ધિ. (૨) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન, નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન, સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન, સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. (૩) જે દેવગુરુના ભક્ત છે, નિર્વેદ શ્રેણી ચિંતવેઃ ને ધ્યાનરત સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહીત છે. ૧. વૈરાગ્યભાવનાની પરંપરા. ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy