SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સાધક સાથી (૪) યહ તન વિષકી બેલડી, ગુરુ અમૃતકી ખાન, શીશ દીએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. (૫) શુદ્ધ ચિત્ત સેવે સદ્ગુરુને, મૂકી મનનો મેલ, કહે પ્રીતમ ભવસાગર ભૂંડો, તેને તરવો સહેલ. (૬) સદ્ગુરુ સમ સંસારમાં ઉપકારી કોઉ નાહિં, કહે પ્રીતમ ભવપાશતેં છોડાવે જગમાંહિં. (૭) ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. (૮) આત્મા ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. (૯) પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન-વિચાર, અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. (૧૦) સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ, પામે તે ૫રમાર્થને, નિજપદનો લે લક્ષ. (૧૧) માનાદિક શત્રુ મહા, નિ ંદે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. (૧૨) તીરથ નાહે એક ફલ, ગુરુ મિલે ફલ ચાર, સદ્ગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર. (૧૩) પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો સેવો સદ્ગુરુ તનમનથી. (૧૪) ૫૨માત્માના દર્શનથી પાપોનો નાશ થાય છે. પરમાત્માના દર્શનથી સ્વર્ગસુખથી પરંપરાઓની પ્રાપ્તિ થાય છે અને પરમાત્માના દર્શનથી યાવત્ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. Jain Education International (૧૫) જેઓ મોક્ષમાર્ગના નેતા છે, જેઓએ સર્વ કર્મકલંકનો નાશ કર્યો છે અને જેઓ સમસ્ત વિશ્વના જાણનારા છે તેમને હું તેમના ગુણોની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરું છું. (૧૬) ભગવાનને પરમાત્મા અથવા આપ્ત પણ કહે છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ... આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આમ પુરુષ ક્ષુધા, તૃષાદિ અઢાર દોષરહિત હોય છે, ધર્મનું મૂળ આપ્ત (ભગવાન) છે. આપ્ત (ભગવાન) નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy