SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સાધક-સાથી ઉત્તર : ૫ સર્વજ્ઞ વીતરાગતા એ હકીકત છે. પ્રશ્નઃ ૬ અત્યારે તો કોઈ એવું દેખાતું નથી તેનું કેમ ? ઉત્તર : ૬ જો કે અત્યારે અહીં કોઈ એવું દેખાતું નથી, પણ તેથી સર્વકાળે સર્વત્ર તેનો અભાવ કહેવો તે ન્યાયયુક્ત નથી. જો જ્ઞાન અને આનંદ આત્માના ગુણ સ્વીકારો છો, જો તેનું વિશેષપણું કે ન્યાયપણે જોઈ-અનુભવી શકો છો તો તેનો પૂર્ણ વિકાસ પણ થઈ શકે તેમ સ્વીકારવું એ સપ્રમાણ છે. વળી સર્વજ્ઞનાં શાસ્ત્રોમાં જીવોની યોનિ, ઉત્પત્તિસ્થાન, લોકસ્વરૂપ, કર્મસિદ્ધાંત આદિ અનેક વિષયોનું જે સૂક્ષ્મતાથી પ્રતિપાદન થયું છે તે જોતાં તેના કહેનારના આત્યંતિક અને અતીન્દ્રિય જ્ઞાનીપણાનો નિશ્ચય થઈ શકે પ્રશ્નઃ ૭ “ગુરુ' શબ્દથી શું સમજવું ? ઉત્તર ઃ ૭ મોટાપણું અને ઉચ્ચપણું જેનામાં હોય તે સામાન્ય પણે ગુરુ છે. જ્ઞાન આપે-કેળવણી આપે-તે ગુરુ, અને તે અપેક્ષાએ માતા-પિતા, શિક્ષક, વડીલો, વિદ્વાનો અથવા અન્ય વિદ્યા શિખાવનાર ગુરુ કહેવાય. પરંતુ અહીં તો સાધકની અપેક્ષાએ સમજવાનું છે. પ્રશ્ન : ૮ સાધકની અપેક્ષાએ ગુરુ એટલે શું ? તેઓ કેવા હોય ? ઉત્તર : ૮ આત્માની સાચી ઓળખાણ જેમને થઈ હોય અને તે માર્ગે ચાલવા બાબતનું અન્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે તેવા સામર્થ્યવાળા હોય તે સાચા ગુરુ કહેવાય. (અ) આત્મજ્ઞાન (બ) સમતા (ક) નિઃસ્પૃહતા (ડ) અભુત સત્યાર્થ શાસ્ત્રજ્ઞપણું ઉપર દર્શાવેલાં લક્ષણો એ સાચા ગુરુનાં મુખ્ય લક્ષણો છે. પ્રશ્નઃ ૯ આ લક્ષણોને વિશેષપણે સમજાવો. ઉત્તર : ૯ (અ) આત્મજ્ઞાન : આત્માનું, પોતાના સાચા સ્વરૂપનું જેને ભાન થયું હોય, ઓળખાણ થઈ હોય, અનુભવ થયો હોય તે આત્મજ્ઞાની કહેવાય. (બ) સમતા : સમતા એટલે સમપણું, આત્માના ભાવોનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy