SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સહજવાણી ભા. ૧ મોક્ષમાર્ગ (અ) (૧) પોતાના સ્વાધીન અને શાશ્વત આનંદને પામવાનો આ પરમ પવિત્ર પંથ છે. (૨) તેની પ્રાપ્તિથી જગતનાં જન્મ-જરા-મૃત્યુ, આધિ-વ્યાધિ-ઉપાધિ અને સર્વ પ્રકારનાં દુઃખનો આત્યંતિક અભાવ થાય છે. (૩) પ્રત્યેક જીવાત્મા આનંદની પ્રાપ્તિ અને દુઃખની સર્વથા નિવૃત્તિ ઇચ્છતો હોવાને લીધે આ પંથ તે પોતાની આંતર-ભાવનાને જ સિદ્ધ કરવાનો માર્ગ છે. (૪) આ માર્ગની પ્રાપ્તિ સ્વયં થઈ જતી નથી, પણ મહાન પુરુષાર્થ આદરવાથી થાય છે. (પ) આવો પુરુષાર્થ આદરવાનો નિર્ણય સાધક જીવ કરે તો તેમ કરવામાં તે સ્વતંત્ર છે. (૬) આ માર્ગની પ્રાપ્તિ કેમ કરીને થાય છે. (૭) આ માર્ગની સાક્ષાત્ પ્રાપ્તિ આત્મજ્ઞાન વડે થાય છે અને આ આત્મજ્ઞાનપ્રાપ્તિના મુખ્ય ઉપાયો સજનસંગતિ, સદાચાર અને સબોધ (૮) પ્રશસ્ત વસ્તુઓની પ્રેમી હોય તેવી સદ્ગુણાનુરાગી વ્યક્તિઓના પરિચયથી અને તુચ્છ વસ્તુઓમાં રોકાઈ ગયેલી વ્યક્તિઓના અપરિચયથી ક્રમ કરીને સજ્જનસંગતિમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. (૯) નીતિના નિયમોને અને સામાજિક ન્યાયને અનુસરવાથી, કોઈ પણ જીવને ન દૂભવવાથી તથા સ્વચ્છંદપૂર્વકની ભોગવૃત્તિને વિવેક વડે નિવારવાના દૃઢ પુરુષાર્થથી સદાચારમાં સ્થિર થઈ શકાય છે. (૧૦) આત્મા-અનાત્માને ભિન્નપણે અનુભવ્યા છે, જેમણે એવા આત્મનિષ્ઠ નિઃસ્પૃહી ગુરુના સાન્નિધ્યને સેવવાથી અને તેમના બોધને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy