SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તિની ઉપયોગિતા - - - - - - - - - ભૂમિકા જો જગતનાં વ્યવહારકયમાં સમય અને શક્તિ કામે લગાવવાં જરૂરી છે, તો મોક્ષરૂપી કાર્ય કરવામાં પણ સમય અને શક્તિને કામે લગાવવા જરૂરી છે. આ ન્યાયને અનુસરીને જ્યારે બહારનાં કાર્યો કરવામાં વપરાતી શક્તિને અંતર્મુખ દિશા તરફ લઈ જઈએ ત્યારે સ્વાભાવિક રીતે જ જગતનાં કાર્યો આપણા વડે થતાં ઓછાં થઈ જાય છે અથવા અટકી જાય છે અને આત્મશુદ્ધિરૂપ મોક્ષકાર્ય ચાલુ થઈ જાય છે. સાધકના જીવનમાં આવી બિના બનવાથી જ્યારે તે આત્મસાધનાના પુરુષાર્થમાં લાગે છે ત્યારે તે નિવૃત્તિમાર્ગ તરફ જઈ રહ્યો છે એમ લોકો કહે છે. અનાસક્તિ અને આત્મદૃષ્ટિ | નિવૃત્તિ એટલે સામાન્ય અર્થમાં સ્વાર્થમય કાર્યોમાં પોતાનાં તન, મન, વચન અને ધન ન લગાવવાં તે. જે સત્કાર્યો આત્મલક્ષે થાય તે પણ ક્રમ કરીને પરમ સમાધિરૂપ નિવૃત્તિ તરફ લઈ જતાં હોવાથી નિવૃત્તિરૂપ જ છે, પણ સાધના દરમિયાન આપણે નિરંતર વિવેકપૂર્વક વિચારવું કે શું હું ખરેખર અનાસક્તિપૂર્વક વર્તી રહ્યો છું ? અનુભવી સદ્ગુરુના માર્ગદર્શન વગર ‘પ્રવૃત્તિમાર્ગ', નિવૃત્તિમાર્ગ’ અને ‘પરમઔષ્કર્થ્ય માર્ગનો પાર પામવો દુર્લભ જેમ જેમ મોક્ષમાર્ગનું યથાર્થ અવલંબન વધતું જાય તેમ તેમ સ્વાર્થત્યાગ વધતો જાય છે, હું પણું, “મારાપણું, ઘટતું જાય છે અને જીવનની દરેક પ્રવૃત્તિ સાહજિક અને વિકાસલક્ષી થતી જઈને આત્મશુદ્ધિની વૃદ્ધિનો જ હેતુ બનતી જાય છે. આ પ્રમાણે આગળ વધતાં, આત્મવિકાસની અનેક શ્રેણીઓને પસાર કરીને સાધક “સ્વરૂપવિશ્રાંતિરૂપ' પરમ ઉત્કૃષ્ટ દશાને પામે છે. જ્યાં સર્વ રાગ, દ્વેષ અને અજ્ઞાનનો અંત અને પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદનો શાશ્વત અનુભવ રહી જાય છે. નિવૃત્તિમાર્ગની આરાધના ધર્મની આરાધનાની પ્રાથમિક અને મધ્યમ ભૂમિકાઓમાં તત્ત્વોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy