SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાં જેમ ઉપવાસ કરતી વખતે આહારત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે અથવા નિયમ લેવામાં આવે છે તેવી રીતે જેણે ક્રોધને કાઢવો છે તે દરરોજ સવારના “હું આજે ક્રોધ નહિ કરું' એ જાતનો અભ્યાસરૂપી નિયમ લે અને સાથે નાનું એવું પ્રાયશ્ચિત્ત પણ નક્કી કરે જેથી આખા દિવસમાં થયેલી ભૂલોની ગણતરી થઈ શકે). આ રીતે જો થોડો વખત જાગ્રત રહીને અભ્યાસ કરે તો એનો સ્વભાવ પલટાઈ જાય એટલી તાકાત આવા નાના નિયમમાં રહેલી છે અને તેથી સાધકને માટે આ નિયમની ખૂબ ઉપયોગિતા ક્ષમાની સાધનામાં વિનો આ જમાનામાં મોટા ભાગના લોકો ધર્મવિમુખ છે તેથી સાધકને ક્ષમાની સાધનામાં અમુક વિઘ્નો આવવાં સંભવે છે, પરંતુ ધર્મવિમુખ જીવોનાં અપમાનવિઘ્નો વગેરેને પોતાનું પૂર્વકર્મ ખપાવવાનો સારો અવસર જાણી સાધકે તેમના પ્રત્યે ક્રોધ ન કરતાં કોઈ અપેક્ષાએ તેમનો ઉપકાર માનવો યોગ્ય છે. વિવિધ પ્રકારનાં મનનાં, વચનનાં કે શરીરનાં દુઃખો જ્યારે પડે ત્યારે ચિત્તમાં એમ જ વિચારવું યોગ્ય છે કે “મેં જે પૂર્વે કમ બાંધ્યાં હતાં તે જ ઉદયમાં આવ્યાં છે. આ દુઃખ આપનારા મનુષ્યો કે પશુઓ તો નિમિત્તમાત્ર છે તેથી હવે હું કોઈ પ્રત્યે ક્રોધ ન કરતાં ક્ષમાભાવને જ ધારણ ' વળી કોઈ આપણને નીચ-અજ્ઞાની-ઢોંગી વગેરે કહે તેથી આપણે તેવા થઈ જતા નથી, પરંતુ આપણે જેવા ભાવ કરીએ તેવા જ આપણે થઈએ છીએ એવો સત્યસિદ્ધાંત જાણી આવા વિવિધ પ્રકારના મહાન પ્રયત્નો વડે ક્ષમાને ધારણ કરવી આપણને સૌને હિતકારી છે. ઉપસંહાર ક્ષમાગુણને ધારણ કરવાથી મોક્ષમાર્ગમાં જલદીથી બોધિસમાધિની સિદ્ધિ થાય છે, પ્રગટપણે શાંતિનો અનુભવ થાય છે અને અંતરંગ માનસિક દુઃખ તેમ જ બાહ્યમાં ક્લેશ, ઝઘડો, ગાળાગાળી વગેરે ન થવાથી બહારમાં પણ શાંતિનું વાતાવરણ સર્જાય છે. આમ ક્રોધ અને દ્વેષવૃત્તિની ન્યૂનતા થવાથી સમાજમાં સર્વત્ર મૈત્રી અને સંપનું વાતાવરણ ઊપજે છે. વ્યક્તિગત સાધકને નવો કર્મબંધ થતો અટકવાથી અને પૂર્વે બાંધેલાં કમ ખરી જવાથી આત્માની વિશુદ્ધિ થઈને મહાન સાધકદશા પ્રગટે છે. સ્વ-પર કલ્યાણ કરનાર આવો ઉત્તમ ક્ષમાધર્મ આપણા જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy