SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સાધક-સાથી બેટીઓ તારી પાસે આવે અને તારા હાથમાં રાખડી બાંધે ત્યારે તને કેવા ભાવ થાય છે ? શું વિકારી ભાવ ઊપજે છે ?” પેલા ભાઈ કાંઈ બોલ્યા નહિ. મહારાજશ્રીએ આગળ કહ્યું : “જેવી રીતે તમે બહેન-બેટીઓને જુઓ છો તે જ દૃષ્ટિએ અમારે દુનિયાની સમસ્ત સ્ત્રીઓનું અવલોકન થઈ જાય છે. વળી સતત શાસ્ત્રાભ્યાસ, કઠોર ચયઅખાન અને શરીરના સંસ્કારનો* અભાવ, ઉપવાસ-ઉણોદરી-તપ વગેરે અનેક કારણોથી ચિત્તવૃત્તિને વિકારી થવાનો અવકાશ રહેતો જ નથી. સ્ત્રીઓનું રૂપ વિકાર ઊપજવાનું નિયામક કારણ નથી, પરંતુ ચિત્તમાં રહેલી કામાદિની દુષ્ટ વાસનાઓ જ મનુષ્યને નીચે પાડે છે. અમારો તેના પર સતત પહેરો હોય છે. પેલા પ્રશ્ન પૂછનાર ભાઈના મનનું સમાધાન થયું અને તે મહારાજશ્રીના ચરણોમાં નમી પડ્યો. * દર્પણમાં જોવું, વાળ વ્યવસ્થિત કરવા, તેલની માલિશ કરવી વગેરેને શરીર-સંસ્કાર કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy