SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સાધક-સાથી સેવન મુખ્ય બની જાય છે. બાહ્ય આચરણમાં કડક શિસ્તનો પ્રકાર દૃષ્ટિગોચર થાય છે. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, અલ્પ આરામ, તદ્દન સાદાઈ, અયાચક વ્રત, કઠોર તપસ્યાના પ્રસંગો દ્વારા સમતાભાવની કસોટીમય સાધના વગેરેનો જીવનમાં ઉદય થતાં મહાવ્રતોનું ગ્રહણ અને સંયમની ચરમ સીમા પ્રતિ ગમન થાય છે અને થોડા વખતમાં તે પુરુષ સહજસમાધિ અથતુ વિશિષ્ટ જીવનમુક્ત દશાની આત્માનંદની મસ્તીમાં મહાલતો થઈ જાય છે. બસ, આ તે જ પુરુષ છે જેને મૂર્તિમાન મોક્ષ, જંગમ તીર્થ કે રમતા રામ તરીકે ભવ્ય મુમુક્ષુઓ ઓળખી શકે છે અને તેમની ઓળખાણ દ્વારા, સમાગમ દ્વારા, આશ્રય દ્વારા અને આજ્ઞાપાલન દ્વારા પોતે પણ નિજાનંદની સાધના અને આસ્વાદને પામી જાય છે. નમસ્કાર હો તે સત્પરષોને ! વંદન હો ફરી ફરી તે નિગ્રંથ મુનીશ્વરોને અને આચાર્યોને ! સંયમની સાધનાનાં જીવંત દૃષ્ટાંતો [૧] સંવત ૧૯૫૪ની સાલ. પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્ર આત્મસાધના અર્થે ચરોતર પ્રદેશના કાવિઠા ગામમાં નિવાસ કરીને રહ્યા હતા. મુનિશ્રી મોહનલાલજી : મન સ્થિર રહેતું નથી, તેને સંયમમાં લેવા શું કરવું ? શ્રીમદ્ ઃ એક પળ પણ નકામો કાળ કાઢવો નહિ. કોઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તો પ્રભુના નામની માળા ગણવી. પણ જો મનને નવરું મેલશો તો ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે, માટે તેને સવિચારરૂપ ખોરાક આપવો. જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ જ – ખાણનો ટોપલો આગળ મૂક્યો હોય તો તે ખાધા કરે, તેમ મનનું પણ છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તો તેને સદ્દવિચારરૂપ ખોરાક આપવો. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ જવું નહિ.” [૨] તપાલનમાં દૃઢતા રાખ્યા વિના કોઈની સાધના સિદ્ધિ પ્રાપ્ત થતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy