SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ ૧૫૯ પરસ્ત્રીગમન છે અને સાધકને વર્ય જ છે. પરધનના ત્યાગની પણ આટલી મહત્તા છે, કારણ કે પરિગ્રપ્રપંચને વધારવાથી સંતોષ, સત્યનિષ્ઠા અને સાદાઈનો નાશ થાય છે, લોભ અને મૂછની વૃદ્ધિ થાય છે તથા મનની એકાગ્રતાની સાધનામાં ભંગ પડે છે. આમ પરધનની ઇચ્છા, સાધકને વિવિધ પાપવૃત્તિઓમાં સંડોવે છે જેથી સાધનામાં આગળ વધી શકાતું નથી. આવા પ્રકારની સામાન્ય વિધિથી, મોટા વ્યસનો અને મોટી હિંસા શિકારસંકલ્પપૂર્વકની હિંસા)નો ત્યાગ સંયમની પ્રથમ શ્રેણીમાં ક્રમે કરીને સિદ્ધ કરવો જોઈએ. (૨) સંયમની બીજી શ્રેણીમાં ન્યાયપૂર્વકની ભોગવૃત્તિ ઉપર પણ સ્વૈચ્છિક મર્યાદા લાવવામાં આવે છે, જેના ફળરૂપે પ્રસિદ્ધ એવા અહિંસા, સત્ય, અચૌર્ય, કુશીલત્યાગ અને પરિગ્રહમયદાની ઉત્તમદ્રતરૂપ પ્રવૃત્તિનો સમ્યપણે ઉદય થાય છે. જે જે પ્રકારો, વ્યાપારો, આરંભો અને પ્રક્રિયાઓ અણુવ્રતોનું પાલન ન થવા દે તેવી હોય તેનો ધીમે ધીમે સંક્ષેપ કરવામાં આવે છે, જેથી પાપકર્મોનું બંધન ઓછું થઈ જાય છે અને અનેક પવિત્ર ભાવનાઓ જીવનમાં ઉદય પામે છે. વળી નિવૃત્તિનો વધારે સમય મળવાથી સ્વાધ્યાય-સત્સંગ આદિ સસાધનોમાં શાંતિથી ચિત્ત પરોવી શકાય છે અને ક્રમે કરીને પૂર્ણ સંયમની તૃતીય શ્રેણીની ભૂમિકા તૈયાર થાય છે. જેમ જેમ આ સાધના આગળ વધે તેમ તેમ સ્વાભાવિકપણે જ દાન, પરોપકારનાં કાય. સંતોની સેવાશ્રુષા, સર્વતોમુખી નીતિમત્તાનાં ઊંચા ધોરણોનું જીવનમાં અપનાવવું આદિ અનેક પ્રવૃત્તિઓથી આવા સાધક વડે સીધી અને આડકતરી રીતે સમાજકલ્યાણનાં અનેકવિધ કાર્યો થવા માંડે છે. આવાં કાર્યોમાં ધર્મશાળાઓ, દવાખાનાંઓ કે હૉસ્પિટલોનું નિર્માણ વિદ્યાશાળાઓ, સ્વાધ્યાયમંદિરો, હાઈસ્કૂલો કે કૉલેજોનું નિમણિ, સદાવ્રતો, સંતકુટિરો કે ત્યાગીઓના આવાસોનું નિર્માણ કે સદ્વિચાર-સમિતિઓ, દયામંડળીઓ, પાંજરાપોળો, યુવાપેઢીમાં નૈતિકતાનું ધોરણ ઊંચું લઈ જવા માટેની શિબિરો આદિનું આયોજન બને છે. સંયમની તૃતીય એટલે છેલ્લી ભૂમિકામાં નિવૃત્ત જીવનની મુખ્યતા થઈ જાય છે અને જનકલ્યાણની પ્રવૃત્તિઓની ગૌણતા થઈ જાય છે, કારણ કે અહીં વ્યક્તિગત અધ્યાત્મવિકાસની ચરમ સીમાને સિદ્ધ કરવાની હોય છે. અહીં અધ્યયન, મૌન, એકાંત વિચારણા, ધ્યાન, મંત્રજાપ, વૈરાગ્યભાવનાઓનું મનન, સૂક્ષ્મ તત્ત્વોનું અનુચિંતન, લેખન અને પરાભક્તિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy