SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્તનો સામાન્ય અર્થ શું છે ? પોતે કરેલા પાપોનું હું આત્મા છું. નિરાકરણ કરવા માટે, પરમાત્માની સાક્ષીએ પોતાના દુર્ગુણોની ( સીનો મિત્ર છું.” નિંદા કરવી, દુષ્કૃત્યોની નિંદા કરવી અથવા ગુરુદેવની સાક્ષીએ તેની ગહ (નિંદા) કરવી અને પોતાના જીવનમાંથી એ દોષો વિસર્જિત કરવાં, એને પ્રાયશ્ચિત્ત નામનું તપ સામાન્યપણે કહેવામાં આવે છે. એના બીજા આલોચના, પ્રતિક્રમણ વગેરે અનેક પારિભાષિક નામ પણ છે. એ એના અપેક્ષિત વિભાગો જે મનુષ્ય સાચા ભાવથી પ્રાર્થના કરે, આગળ કહી તે વિધિથી પ્રાર્થના કરે તો તેનાં પાપ બળી જાય છે. એટલે કે એને ઘણા પુણ્યનો સંચય થાય છે. જો કંઇ પણ દુન્યવી ઇચ્છા ન હોય, તેમજ તત્ત્વજ્ઞાનપૂર્વક પ્રાર્થના હોય તો સંવર અને નિર્જરા (સમાધિસુખ) પણ પ્રાપ્ત થાય છે. દરેકે પોતાના જીવનમાં અનુભવ કરવો. જયારે એમ વિચાર્યું હોય કે આજે બહુ સરસ વાંચવું છે પણ એ જ દિવસે માથું એવું ચઢે અથવા એવો કંટાળો આવે કે એક-બે પાનાં જ વંચાય ! અથવા પરમાત્માની ભક્તિ કરવી છે એમ નક્કી કર્યું હોય પણ કંઈ એવું વિઘ્ન આવી જાય અથવા પોતાનો જ ઉત્સાહ ઓસરી જાય ! એ પ્રમાણે નિયમ લેવાનું નક્કી કર્યું હોય અને નિયમ કોઈ કારણસર ન લઈ શકાય. આમ, જ્યારે ખરેખર આપણે પુરુષાર્થ કરવા માગીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ છતાં પણ જાણે Unsermountable obstacles - ઉલ્લંઘી ન શકાય તેવા વિપ્નો આવે છે. સાધનામાં આગળ ન વધી શકાય તેવા પ્રકારનો અંતરાય આવે ત્યારે શું કરવું ? ત્યારે “પ્રાર્થના એ આપણા સર્વનું શરણ છે દરેક સાધકને માટે આ લાગુ પડે છે. દરેક સાધકને પોતાના જીવનમાં આવી અનેક બીનાઓ બનવાની. એવા અમુક તબક્કા નિરાશાના પ્રાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy