SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છે. જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક – ૪૯૩ “મેરે સાહિબ તુમ હી હો, પ્રભુ પાસ જિગંદા, ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા.” –શ્રી યશોવિજયજી કૃત શ્રી પાર્શ્વનાથ સ્તવન ભગવાન આપણી સાથે જલદી બોલે એવા નથી, બહુ કડક છે ! આપણે ગમે તેટલી વિનંતી કરીએ, No Response, No Response... ભગવાન આપણા બધાની બરાબર પરીક્ષા કરે છે. જ્યારે લાગે કે હવે આ બરાબર છે, ત્યારે જ કામ કરે એવા પરમાત્મા છે. આ વાત અનુભવનો વિષય છે. આ વાત Practice નો વિષય છે. જે પોથી પંડિત છે, એ તો કહે છે, આ બધું તમારી કલ્પના ! ભગવાન તો કંઈ આપણને મુક્તિ આપતા હશે ! જો જો આવું કંઈ માગતા નહિ. આપણે ભિખારી છીએ ? હું તો મારી જાતે જ મુક્તિ લઇશ ! હું ભગવાનને કંઇ આવી પ્રાર્થના કરું નહિ. ભક્તિ કરું નહિ !!' “તું કુંદકુંદસ્વામીથી પણ મોટો છે અને તું ગૌતમસ્વામીથી પણ મોટો છે તો તારી સાથે શું વાત કરીએ અમે? ગૌતમસ્વામી જેવા ગણધર પણ હાથ જોડીને ભગવાનની સામે બેઠા છે અને તું કહે છે તેને ભગવાનની જરૂર નથી. ભાઈ ! તારે અને અમારે બનશે નહીં.' જીવ હજુ પોતાના મનમાં અહમ્ અને સ્વચ્છંદમાં રાચી રહ્યો છે, થોડો પુણ્યનો ઉદય છે એટલે એના મનમાં એમ જ છે કે “હું ધારું તે કરું. મારું ધારેલું બધું દુનિયામાં થાય. જો ! મારા બાપાએ મને બે શબ્દો કીધા હતા ને નાની ઉંમરે ઘરની બહાર નીકળી ગયો. તે પછી છેલ્લા ૨૦ વર્ષથી મારા માબાપ મારી સાથે રહે છે. મારા મા-બાપ મારે શરણે આવ્યા. એમને પ્રાર્થના બીજા ભાઇઓએ ન રાખ્યા.' ૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy