SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ - આપણું વ્યક્તિત્વ - આપણો આત્મા તેમના ગુણોથી રંગાઇ હું આત્મા છું. જશે. એ જ કરવાનું છે. આપણે શું કરવા માંગીએ છીએ ? | આપનો સેવક છું. સૌનો મિત્ર છું." આપણા જીવનને ચોળમજીઠના રંગ જેવો ધર્મનો રંગ લગાડવો કે જેથી આ શરીરમાંથી નીકળી જઇએ તોપણ આગામી એક કે બે ભવમાં મોક્ષે ચાલ્યા જવાય. સંતોની વાણીમાં પણ પ્રભુ પ્રેમના રંગની તીવ્ર ઝંખના દષ્ટિગોચર થાય છે : (૧) શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, હરી ના રંગાવું, લાલ ના રંગાવું. તેરે હી રંગમે, રંગ દે ચુનરિયા... શ્યામ... (૨) મહાત્માશ્રી કબીરદાસજીએ પણ ગુરુજીએ પોતાની “ચાદર”, લાલો લાલ કર દીની ચદરિયા - એમ નિર્દેશ કર્યો છે. સાધના કંઈ અહીંયાથી ગયા એટલે પૂરી નથી થવાની; આગળ પણ ચાલુ જ રહેશે. પાછો મનુષ્યભવ મળે ત્યારે બાકીનું રહેલું કામ પૂરું કરવાનું છે. - દેવલોકમાં સમય કેવી રીતે પસાર કરીશ ? ત્યાં પણ તત્ત્વજ્ઞાન, ત્યાં પણ પ્રભુની ભક્તિ, એ રીતે કરોડો વર્ષ કાઢવા પડશે. કારણ કે ત્યાં આયુષ્ય મોટા હોય છે. પછી મનુષ્યભવમાં પૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરે ત્યારે સાધના પૂરી થાય છે. જીવ નિવૃત્તિક્ષેત્રમાં વિચારે છે કે, “ત્રણ દિવસથી આવ્યો છું ને હવે દીકરાના ટેલિફોનની રાહ જોઉં છું કે ક્યારે તેડવા આવે?” “અહીં ત્રણ દિવસ જતા નથી તો દેવલોકમાં આટલા બધા દિવસ....!!! જશે ! જશે ! ભાઈ અજ્ઞાની જીવ જ્યાં જન્મે છે ત્યાં અને ગોઠી જાય છે. વિઝાના કીડાને પણ વિઝામાંથી નીકળવું ગમતું નથી. આ જીવ જ્યાં જાય ત્યાં ટેવાઇ જાય છે એટલે આત્મતત્ત્વને યાદ કરવું, એટલે પોતાના સાચા સ્વરૂપને યાદ કરવું અથવા સાચું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy