SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ બધુંય ખોટું લખ્યું છે. મારા ચાર દીકરા છે, મારા પાંચ બંગલા “હું માત્મા છું, આપનો સેવક છું, છે, આ બધી મિલો મારી છે, મારી પાસે સોનાના ઘરેણાના સીન મિત્ર સાત સેટ છે, મારી પાસે ત્રણ કરોડનું ઝવેરાત છે, મારી તબિયત બહુ સારી છે, મારું નામ પટેલ મગનભાઇ છગનભાઇ છે, હું Olli yol Eg 249.91 2012ALL Association il President છું, હું બ્રહ્મચારી છું, હું મોટો મુમુક્ષુ છું, મેં આટલા શાસ્ત્રો લખ્યાં છે, મેં આટલા લોકોને તીર્થયાત્રા કરાવી છે..... ભૂસી નાખ બધું - કરી શકીશ આવું ?' “એવું તો ન થાય !” “તો પછી હમણાં મોક્ષ ના મળે, હાલતો થા.” “આ દીકરા મારા નહિ તો કોના છે ?” “અરે ભાઇ ! એ દીકરા તારા કહેવાય પણ તારા નથી !? આપણે આપણી જીવનની કિતાબમાં જે ખોટું લખેલું છે એ ભૂંસી નાખવાનું. ભાઈ ! કોરી પાટી હોય તો બોધ પરિણામ પામે. એટલે આપણે જે આપણી જિંદગીના ચોપડામાં ખોટું ખોટું લખ્યું છે એ બધું ભૂંસી નાખીને ભગવાનને કહેવું કે ભગવાન ! આપ કહો તેમ હવે હું કરવા તૈયાર છું. હે પરમાત્મા ! આપની આજ્ઞા પ્રમાણે હું નવજીવન બનાવવા માગું છું. We are re-born when we come in contact with enlightened saint. સાચા સંતના શરણમાં આવતાં આપણું જીવન નવજીવન પામે છે. દુનિયામાં તમારે એવું છે. બ્રાહ્મણીમાં જનોઈ પહેરાવે એટલે શું કહેવાય ? દ્વિજ એટલે બીજી વાર જન્મ્યો. જયારે જીવ સાચા સંતના શરણમાં આવે ત્યારે તેનું નવું જીવન એટલે સાચું જીવન ચાલુ થાય છે. એ પહેલાનું જીવન વ્યર્થ છે. એ પહેલાંના બાકીના વર્ષો જે ૨૦, ૩૦, ૪૦, ૫૦ ગયા તે કેવા ગયા ? “હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.” આમ તો દુનિયાના) મોટા લોકોને તો જરા ખોટું લાગે ૧૧૧ - પ્રાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy