SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા આયુષ્ય હતા) અમારે પણ મોક્ષે જવું છે, તારે એકલાને “હું આત્મા છું, { આપનો સેવક છું, જ જવું છે કાંઇ ? ચાલ હવે લગ્ન કરી લે!” કહેનાર તો આમ સૌનો મિત્ર છું.” જ્ઞાની છે. શ્રીકૃષ્ણ, બળદેવ એમના માતાપિતા બધા જ્ઞાની છે, પણ રાગને લીધે કહે છે. જ્યારે નિર્મોહી નેમિનાથ કહે છે, “એવું ન કહો ! હે માના આત્મા ! હે પિતાના આત્મા ! તમે તો જ્ઞાની છો. તમે જાણો છો કે પરમાર્થથી હું આપનો પુત્ર નથી અને આપ મારા માતા-પિતા નથી. આ તો એક સામાજિક વ્યવસ્થા છે. એટલા માટે જેની વિવેકજ્યોતિ પ્રગટી છે એવા મારા આત્માને આપ આશીર્વાદ આપો કે અલ્પકાળમાં હું કેવળજ્ઞાન પ્રાપ્ત કરું. તમને ખબર છે કે જે માર્ગ પર હું જઇ રહ્યો છું, તે જ માર્ગે આપ થોડા સમયમાં જવાના છો. માટે આપ રાગદ્વેષ ન કરો અને મને શુભાશીર્વાદ આપો કે જેથી મારો આત્મા ઉત્તમ ધ્યાનમાં લાગી જઈને સમાધિના પ્રભાવથી અનંતજ્ઞાન અને અનંત આનંદની પ્રાપ્તિ કરે.” લોકો કહે એમ ન કરાય. લોકો કહે એમ કરીએ તો તો સંસારમાં ડૂબી જઈએ, પણ ભગવાને જે કહ્યું, ગુરુદેવે જે કહ્યું, સંતોએ જે કહ્યું તે અનુસાર જીવન જીવવું. માત્ર કહ્યું નથી ! એમણે તો પોતાના જીવનમાં પહેલાં ચરિતાર્થ કર્યું, અનુભવ્યું, અનુભવીને પછી ઉપદેશ કર્યો. તો સાચા સંતો copy કરીને લખતા નથી. શાસ્ત્રો copy કરીને ન લખાય. શાસ્ત્રો તો અંદરથી સ્ફરે, જેમ દુનિયામાં પણ જગતના જીવોને મોહ સ્વાભાવિક છે. તમારો દીકરો તમને વહાલો લાગે તેમાં તમારે પ્રયત્ન કરવો પડે ?” માતૃત્વ એ પ્રેમનું પ્રતીક, પોષણનું પ્રતીક, રક્ષણનું પ્રતીક, સંસ્કૃતિનું પ્રતીક છે. યાદ ન કરવું પડે. ‘તમારો દીકરો ક્યારે વહાલો લાગે ? જ્યારે નવડાવો ત્યારે જ વહાલો લાગે ?” “ના સાહેબ ! ચોવીસ કલાક વહાલો લાગે. રાતના તો હું ઝબકીને જાગું, બાબલો રડે છે એવું મને લાગે !” જેમ ૧૦૧ પ્રાર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy