SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અંતર્ગત ભારતીય દર્શનોના મૂર્ધન્ય વિદ્વાન અને ઊંડા અભ્યાસી ડૉ. નગીભાઈ જી. શાહે જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' એ વિષય ઉપર તા. ૧૯, ૨૦ અને ર૧ જાન્યુઆરી, ૨૦૦૦ ના રોજ ભો. જે. વિદ્યાભવનમાં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવું છું. આ વ્યાખ્યાનમાળા મુખ્યત્વે જૈન દષ્ટિએ આત્મપરમાત્મ તત્ત્વને અને આનુષંગિકપણે જૈન દર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને સ્પર્શે છે. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં સાત વ્યાખ્યાનશ્રેણીઓ યોજાઈ છે, જેમાં અનુક્રમે ડૉ. આર. ટી. રાનડેએ “The Conception of Spiritual Life in Mahatma Gandhi and Hindi Saints' વિષય ઉપર, પંડિત સુખલાલજીએ “અધ્યાત્મવિચારણા પર, ડૉ. પદ્મનાભ જૈનીએ “જૈન સંપ્રાય મેં મોક્ષ, અવતાર ગૌર પુનર્જન્મ' વિશે, ડૉ. ભોગીલાલ સાંડેસરાએ ‘યોગ, અનુયોગ અને મંત્રયોગ” ઉપર, ડૉ. ૨. ના. મહેતાએ “જૈન દર્શન એ પુરાવસ્તુવિદ્યા પર, મુનિ સુમેરમલજીએ ભારતીય સંસ્કૃતિ નેં રિત્ર ક્ષી પ્રધાનતા', ભારતીય ૩પાસના પતિ મેં ધ્યાન પ્રધાનતા', અને “સ્વસ્થ નીવન ઔર પ્રેTધ્યાનવિશે તથા સ્વામીશ્રી આત્માનંદજીએ “ગાંધીજીની અહિંસાના પ્રેરણાસ્રોત', “શ્રીમદ્ રાજચંદ્ર અને જૈન ધર્મ તથા “વર્તમાન સંદર્ભમાં મહાવીર દર્શન” એ વિષયો પર ચિંતનપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. આમાંનાં પ્રથમ પાંચ વિદ્વાનોનાં વ્યાખ્યાનો સંસ્થા તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ડૉ. નગીનભાઈ શાહ ભારતીય દર્શનોના બહુશ્રુત વિદ્વાન, પ્રકાંડ પંડિત અને જૈન દર્શનના વિશેષ અભ્યાસી છે. એમણે પોતાની સૂક્ષ્મ અને આગવી સંશોધનદૃષ્ટિથી દર્શનવિદ્યાને ક્ષેત્રે અનેક વિદ્ધભોગ્ય ગ્રંથોનું લેખન અને પ્રકાશન કર્યું છે. દર્શન સાહિત્યના ચાયમરીfમ, ‘અધ્યાત્મવિદ્' જેવા ઘણા મહત્ત્વપૂર્ણ ગ્રંથોની મૂળ હસ્તપ્રતોને આધારે તે ગ્રંથોનું સુંદર સંપાદન કર્યું છે. આ ઉપરાંત આધુનિક વિદ્વાનોના દર્શનવિષયક ગ્રંથોનું પણ તેમણે સંપાદન કર્યું છે. દર્શનવિદ્યાના આવા અપ્રતિમ વિદ્વાન ડૉ. નગીનભાઈ શાહે “જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના” એ વિષય પર આપેલાં વ્યાખ્યાનો ગ્રંથરૂપે પ્રગટ કરવાનું સદ્ભાગ્ય અમને સાંપડ્યું એ બદલ અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. મુદ્રણ માટે કૃષ્ણા પ્રિન્ટરીના શ્રી કિરીટ હરજીભાઈ પટેલે ખૂબ કાળજી લીધી છે તે માટે તેમનો પણ હું અત્રે આભાર માનું છું. ભો. જે. વિદ્યાભવન, ભારતી શેલત અમદાવાદ-૯ નિયામક ૨૪ માર્ચ, ૨૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy