SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં મતિજ્ઞાન ૩૫ (શબ્દાર્થગ્રહણ)ને ઇન્દ્રિયાર્થસકિર્થાવગ્રહ અને વસ્તુઅવગ્રહમાં બદલી નાખી જૈન ચિંતકોએ ઇન્દ્રિયપ્રત્યક્ષના પોતાના સિદ્ધાંતમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષ પૂર્વ એક ભૂમિકા દાખલ કરી, ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષની ચર્ચા દાખલ કરી અને મુખ્ય તો ઇન્દ્રિયોનાં પ્રાપ્યકારિત્વઅપ્રાપ્યકારિત્વની સમસ્યાની વિચારણા દાખલ કરી. શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનનો ક્રમ અને વિષય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ગ્રાહ્ય વિષયો વિશે નીચેનું સૂત્ર છે – ગતિશ્રયો: નિવસર્વદ્રવ્યેષુ સર્વપર્યાયેy I ૧.૨૭). અર્થાત, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વ્યાપાર સર્વ દ્રવ્યોમાં છે પણ સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોમાં નથી પરંતુ ઓછા પર્યાયોમાં છે. અહીં પ્રશ્ન થાય કે અત્યન્ત અમૂર્ત દ્રવ્યો ધર્મદ્રવ્ય આદિ અને તેમના પર્યાયો મતિજ્ઞાનનો વિષય કેવી રીતે બની શકે? શું તેઓ ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બની શકે? સ્મૃતિનો વિષય બની શકે ? પ્રત્યભિજ્ઞાનો વિષય બની શકે? ચિન્તા (કે તક)નો વિષય બની શકે? અનુમાનનો વિષય બની શકે? તેમના માટે અત્યન્ત અમૂર્ત દ્રવ્યોને વિષય કરવા મુશ્કેલ છે. પરંતુ જો મતિને મનન તરીકે સમજવામાં આવે તો સમાધાન સરળ થઈ જાય છે. ગુરુમુખે મૂર્ત-અમૂર્ત બધાં દ્રવ્યો વિશે તેમ જ તેમના પરિમિત પર્યાયો વિશે સાંભળ્યા બાદ (શ્રવણ પછી) તે બધાં દ્રવ્યો અને તે પર્યાયો મનનનો વિષય બની શકે છે. આ સંદર્ભમાં ટીકાકાર સિદ્ધસેનગણિનું વચન નોંધપાત્ર છે. તે કહે છે : મતિજ્ઞાનો તાવત श्रुतज्ञानेनोपलब्धेषु अर्थेषु..द्रव्याणि ध्यायति (मनुते) तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि न तु सर्वाः पर्याया:... तथा श्रुतग्रन्थानुसारेण सर्वाणि धर्मादीनि जानाति, न तु तेषां સર્વપયાન(૧.૨૭) આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જેને જૈનો મતિજ્ઞાન કહે છે તે મૂળે મનન છે અને પહેલાં શ્રવણ (કૃત)છે અને પછી જ મતિ (મનન) છે. શ્રુતને આધારે જ મનન (મતિ) ચાલે છે. - ઉમાસ્વાતિ લખે છે : અતિપૂર્વ (ઉ.૨૦). પહેલાં મતિ થાય છે અને પછી શ્રુતજ્ઞાન થાય છે. અહીં મતિનો સંકુચિત અર્થ કરી કેવળ ઇન્દ્ર પ્રત્યક્ષ સમજવામાં આવે છે અને કહેવામાં આવે છે કે શબ્દને સાંભળ્યા (શ્રાવણ પ્રત્યક્ષ) પછી શબ્દાર્થનું જ્ઞાન (શ્રુતજ્ઞાન)થતું હોઈ શ્રુતજ્ઞાન પહેલાં મતિજ્ઞાન અવશ્યપણે હોય છે. અર્થાત, પહેલાં શ્રાવણ પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાન થાય છે અને પછી શાબ્દ જ્ઞાન (શ્રુતજ્ઞાન) થાય છે. જો મતિનો અર્થ મનન કરવામાં આવે તો ક્રમ ઊલટાઈ જાય. ઉપર ઉદ્ભૂત સિદ્ધસેનગણિવચન મતિ'ના મનન અર્થનું સમર્થન કરે છે. વળી, ખુદ ઉમાસ્વાતિ આપણને કહે છે કે મનનો વિષય શ્રત છે, અર્થાત ગુરૂમુખે જે સાંભળ્યું તેના ઉપર મન મનન કરે છે. શ્રતિનિક્રિયથા (૨.૨૨). આ બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે જૈનોએ ત્રીજા સોપાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy