SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન બાહ્યોન્દ્રિયજન્ય પાંચ પ્રત્યક્ષોમાં અવગ્રહ વગેરે ચાર ભૂમિકાઓ સ્વીકારવામાં પણ આવે છે અને સ્પષ્ટપણે ઘટાવવામાં પણ આવે છે. માનસ પ્રત્યક્ષમાં આ ચાર ભૂમિકાઓ સ્વીકારી તો છે, પણ કોઈએ ઘટાવી નથી. સ્મૃતિ આદિ ચાર મનોનિમિત્ત મતિજ્ઞાનોમાં તો અવગ્રહ આદિ ચાર ભૂમિકાઓ સ્વીકારી જ નથી, તો પછી ઘટાવવાની તો વાત જ રહેતી નથી. આ અવ્યવસ્થાનું કારણ શું છે? ખરેખર તો જૈન ચિંતકાએ મતિજ્ઞાનના દરેક પ્રકારમાં આ ચાર ભૂમિકાઓ સ્વીકારવી જોઈએ અને ઘટાવવી જોઈએ. પરંતુ બાલ્વેન્દ્રિયપ્રત્યક્ષ સિવાય બીજા કોઈ મતિપ્રકારમાં આ ભૂમિકાઓ સ્વીકારવી કે ઘટાવવી શક્ય જ નથી. વસ્તુતઃ તો અવગ્રહ આદિ આ ચાર ભૂમિકાઓ મનનની છે. અને જ્યારે જૈન ચિંતકોએ મનનને મતિજ્ઞાન નામના ખાસ વિશેષ જ્ઞાનમાં પરિવર્તિત કરી દીધું ત્યારે તેમણે મનનની ભૂમિકાઓને પણ મતિજ્ઞાનમાં સંક્રાન્ત (transfer) કરી દીધી. આમ મતિજ્ઞાનમાં અવગ્રહ આદિને લઈ જે અવ્યવસ્થા જણાય છે તેનું કારણ આ છે. મનનની ચાર ભૂમિકાઓને ઇન્દ્રિયપ્રત્યક્ષમાં લાગુ કરી જૈન ચિત્તકોએ પોતાના તર્કશાસ્ત્રમાં પોતાનો ઈન્દ્રિયપ્રત્યક્ષનો વિશિષ્ટ સિદ્ધાન્ત ઘડી કાઢ્યો. અવગ્રહાદિ ભૂમિકાઓ મનનની છે અવગ્રહ આદિ ચાર ભૂમિકાઓને મનનની ભૂમિકાઓ તરીકે સરળતાથી સમજાવી શકાય છે અને તે મનનની ભૂમિકાઓ છે. આનું સ્પષ્ટ સૂચન પ્રાચીન અંગ આગમ જ્ઞાતાધર્મકથા (પ્રથમ અધ્યયન, ૩૫)માં મળે છે. ત્યાં આ વાક્ય આવે છે. તે જ सुमिणपाढगा सेणियस्स रण्णो एवमटुं सोच्चा णिसम्म हट्ट जाव हियया तं सुमिणं ओगिण्हंति । ओगिण्हंता इहं अणुपविसंति...। (शृत्वा...अवगृह्णन्ति । अवगृह्य इहाम् અનુવન્તિા ) રાણીને સ્વપ્ર આવે છે. રાણી રાજાને જણાવે છે. રાજા સ્વપ્રપાઠકોને બોલાવે છે, તેમને સ્વપ્ર જણાવે છે અને અર્થઘટન કરવા કહે છે. સૌપ્રથમ સ્વપ્રપાઠકો રાજારાણી જે કહે તે સાંભળે છે (શ્રવણ). પછી તેનો સામાન્ય અર્થ (meaning) ગ્રહણ કરે છે (અવગ્રહ). પછી વિશેષ અર્થ (તાત્પર્યાથી વિચારે છે, જે અનેક વિકલ્પો (alternatives) ખડા કરે છે. આ છે ઈહા. પછી એ વિકલ્પોની વિશેષ વિચારણા-પરીક્ષા કરી એક પછી એક વિકલ્પને દૂર કરી છેવટે એક વિકલ્પને નિર્ણયરૂપે સ્થાપે છે. આ છે અવાય. આ નિર્ણયને – તાત્પર્યાથને મનમાં ધારી રાખી (ધારણા) પછી બીજી વસ્તુના વિચાર તરફ વળે છે. ઉદ્ધત વાક્યમાં પ્રથમ બે ભૂમિકાઓ અવગ્રહ અને ઇહાનો ઉલ્લેખ છે, પરંતુ પછીની બે ભૂમિકાઓ આપણે કલ્પી શકીએ છીએ. વાક્ય તદન સ્પષ્ટપણે સૂચવે છે કે ચારે ભૂમિકાઓ મનનની છે. અવગ્રહથી શરૂ કરી ધારણા સુધીની સમગ્ર મનનની પ્રક્રિયા છે. આમ અવગ્રહ આદિ ચાર ભૂમિકાઓ સમગ્ર મનનની પ્રક્રિયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy