SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન મનઉભયનિમિત્ત, તે જણાવે છે કે એવું મતિજ્ઞાન છે જેનું નિમિત્તકારણ કેવળ ઇન્દ્રિય છે. જે જીવોને મન નથી અર્થાત એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોની બાબતમાં તો કેવળ ઇન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન જ હોય છે. આ ઉપરથી શું આપણે એવું સમજવું કે જે મનવાળા (સંજ્ઞી પંચેન્દ્રિય) જીવો છે તેમને કેવળ ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન સંભવતું જ નથી, અર્થાત શુદ્ધ નિર્વિકલ્પ ઈન્દ્રિયપ્રત્યક્ષનો અસંભવ છે ? તે સ્મૃતિને કેવળ મનોનિમિત્ત મતિજ્ઞાન ગણે છે. સવિકલ્પક ઇન્દ્રિયપ્રત્યક્ષને તે ઉભયનિમિત્ત માને છે. આ ઉપરથી સૂચિત થાય છે કે આ પૂર્વેની નિર્વિકલ્પ ઈન્દ્રિયપ્રત્યક્ષની ભૂમિકારૂપ મતિજ્ઞાન કેવળ ઇન્દ્રિયનિમિત્ત હોવું જોઈએ. તેમણે પ્રત્યભિજ્ઞા, અનુમાન અને ચિત્તા (તક)ના નિમિત્તકારણ વિશે કંઈ કહ્યું નથી. પરંતુ આપણે કહી શકીએ કે :-- . ભયનિમિત્ત છે જયારે ચિન્તા કેવળ મનોનિમિત્ત છે. પ્રત્યભિજ્ઞાનો વિષય અતીત અને વર્તમાન ઘેઈ તેને ઉભયનિમિત્ત ગણી શકાય. અનુમાન લિંગદર્શન અને વ્યાપ્તિસ્મૃતિ એ ઉભયનિમિત્તજન્ય હોઈ, તેને ઉભયનિમિત્તક માની શકાય. ચિત્તા કે તર્ક તો મનોનિમિત્ત છે જ. અહીં એક વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ કે મનન એક પ્રક્રિયા છે, ચિત્તનપ્રવાહ છે જેમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ આદિનો ફાળો છે છતાં તેમનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રવાહમાં જણાતું નથી, તે બધાં મળી એક અખંડ પ્રવાહ બને છે, તેમનું અસ્તિત્વ તેમાં ઓગળી જાય છે, અને તેથી જ અહીં તેમના પોતાનાં સ્વતંત્ર નિમિત્તોની વાત કરવી અસ્થાને છે - નિરર્થક છે. ખરેખર મનનના, ચિંતનના – એક અખંડ ચિંતનપ્રવાહના નિમિત્તની વાત કરવી જ સ્થાને છે, સાર્થક છે. અને એ રીતે વિચારતાં મનનનું નિમિત્તકારણ કેવળ મન જ છે એમ કહેવું જોઈએ. આ અર્થમાં મતિ કેવળ મનોનિમિત્ત છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદો - ઉમાસ્વાતિ કહે છે કે અવગ્રહ, ઈu, અવાય અને ધારણા એ ચાર મતિજ્ઞાનના ભેદો છે, મતિજ્ઞાનની ક્રમિક ભૂમિકાઓ છે. વહેવાયા (૧.૧૫). બધા જ જૈનગ્રંથો આ ચારને ઈન્દ્રિયપ્રત્યક્ષને અનુલક્ષીને જ સમજાવે છે. વસ્તુ કઈ જતિની છે, તેના વિશેષ ગુણો ક્યા છે, એ વિશેષતાઓથી રહિત તે વસ્તુનું સાવ સામાન્ય જ્ઞાન તે અવગ્રહ છે. ઉદાહરણાર્થ, ગાઢ અંધકારમાં પગે કાંઈક સ્પર્શ થતાં “કાંઈક છે' એવું જ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં જણાતું નથી કે કઈ વસ્તુનો સ્પર્શ થયો છે. આવું અવ્યક્ત જ્ઞાન અવગ્રહ કહેવાય છે. અવગૃહીત વિષય ક્યો છે એ વિશેષરૂપે જાણવા શરૂ થયેલી વિચારણા જે અનેક વિકલ્પો (altematives) ઉપસ્થિત કરે છે તે ઈહા છે. ઉદાહરણાર્થ, આ જે સ્પર્ધાનુભવ થયો તેમાં લંબાઈનો, ગોળાકાર – નળાકારનો અનુભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy