SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન ઉલ્લેખ કરી ચારિત્રની અંદર નિદિધ્યાસનનો સમાવેશ કરી લેવાનું તેમણે ઉચિત માન્યું લાગે છે. આમ પ્રસ્તુત ચાર સોપાનો જ જૈનોના ત્રણ મોક્ષો પાયો, જૈનોની રત્નત્રયી છે. બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધા અને તેની ભૂમિકાઓ બૌદ્ધ ધર્મમાં સમ્માદિઢિ અને શ્રદ્ધા સમાનાર્થક છે. આધ્યાત્મિક સાધના અને આધ્યાત્મિક ગુણોના મૂળમાં શ્રદ્ધા છે. આર્ય અખંગિક માર્ગનું તે પહેલું અંગ છે. નિર્વાણ માટે કેળવવાના ગુણોની જે યાદીઓ મળે છે તે બધીમાં શ્રદ્ધાને પ્રથમ મૂક્વામાં આવી છે. બૌદ્ધોએ શ્રદ્ધાની જે વ્યાખ્યા કરી છે તે અત્યન્ત અગત્યની છે. તે આ પ્રમાણે છે -- શ્રદ્ધા ચેતન: સાવ ! (અભિધર્મકોશભાષ્ય ૨.૨૫).૧૦ સંસ્કૃત કોશગ્રંથો પણ શ્રદ્ધાનો આ અર્થ નોંધે છે. પરંતુ પ્રસાદ એટલે શું? એનો ઉત્તર નીચે પ્રમાણે છે – પ્રસાલોડના ત્રવત્વમ્ ! (સ્ફટાર્થા, ૮.૭૫). દ્ધિ નિર્મનં તત પ્રસન્નમિત્યુ ! (અભિધર્મદીપવૃત્તિ, પૃ. ૩૬૭). આમ શ્રદ્ધાનો અર્થ છે ચિત્તશુદ્ધિ. રાગ એ ચિત્તમળ છે. એ મળ દૂર થતાં ચિત્ત વિશુદ્ધ બને છે. ચિત્તનો સ્વભાવ તત્ત્વપક્ષપાત છે. પરંતુ તેનો આ સ્વભાવ મતાસક્તિ, મહાગ્રહ, દૃષ્ટિરાગથી આવરિત થઈ ગયો છે, હાનિ પામ્યો છે. રાગના આ આગન્તુક આવરણને દૂર કરવામાં આવતાં તે સ્વભાવ પ્રગટ થાય છે. પરંપરાથી કે જન્મથી પ્રાપ્ત માન્યતાઓ, સિદ્ધાન્તો અને ધારણાઓ પ્રત્યેના રાગમાંથી મુક્ત થવાને પરિણામે જે ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થાય છે તે અહીં શ્રદ્ધાથી અભિપ્રેત છે. આવી ચિત્તશુદ્ધિ દરેક સત્યશોધક માટે આવશ્યક છે કારણ કે આવું શુદ્ધ ચિત્ત જ સામે આવેલા સત્યને ગ્રહણ કરવાની યોગ્યતા, ક્ષમતા ધરાવે છે. આ ચિત્તશુદ્ધિના અર્થમાં શ્રદ્ધાને આપણે નિરાકાર વર્ણવી શકીએ. તેનામાં કોઈ વિષયસંભાર નથી. અહીં કેવળ તત્ત્વપક્ષપાતરૂપ માનસિક વલણ છે, સત્યપ્રવણતા છે. એ હકીકત છે કે જે મતો, ધારણાઓ અને સિદ્ધાન્તોની વચ્ચે મનુષ્ય જન્મ્યો અને ઉછર્યો હોય તેમને તે વિના પરીક્ષા સ્વીકારી લે છે – સ્વીકારી લે છે એટલું જ નહિ પણ તેમને પોતાના ચિત્તમાં એટલા તો ઊંડા રાખી દે છે કે તેઓ તેના વ્યક્તિત્વનો એક ભાગ બની જાય છે અને તેમનાથી પોતાની જાતને મુક્ત કરવી તેના માટે અતિ કઠિન બની જાય છે. તેથી મનુષ્યને માટે સૌથી દુષ્કર કાર્ય છે તેમના પ્રત્યેના રાગથી પોતાની જાતને છોડાવવાનું. એટલે જ હેમચંદ્રાચાર્ય કહે છેઃ રાહુ પાપીયા ૩છેઃ સતાપિતા (વીતરાગસ્તોત્ર), રાગમળના દૂર થવાથી આવેલી ચિત્તશુદ્ધિ અને પરિણામે પ્રગટેલી સત્યપ્રવણતા એ શ્રદ્ધા છે. શ્રદ્ધાની આ ભૂમિકા શ્રવણ પહેલાં હોય છે. રાગમુક્ત થઈ આવશ્યક ચિત્તશુદ્ધિ પામી, સાધક સત્ય અને પરમાર્થને પામ્યાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy