SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના સોપાનોના વિષય તરીકે રજૂ કરવામાં આવેલ આત્મા સામે છે. આત્માના સ્થાને ધર્મ કે સત્ય હોત તો તેમને કંઈ વાંધો ન હોત. ધર્મ શું છે કે સત્ય શું છે તે શોધી કાઢવાનું સાધક ઉપર છોડી દેવું જોઈએ. સુત્તનિપાતમાં (૮૩૯) કહ્યું છે કે તે નિષ્ક્રિયા ને सतिया न आणेन... ति भगवा विसुद्धि आह, अदिट्ठिया अस्सुतिया अजाणा... નપિ તેના તન તો દર્શન વડે, ન તો શ્રવણ વડે કે ન તો જ્ઞાન વડે વિશુદ્ધિ થાય છે, એમ ભગવાને કહ્યું છે; ન તો અદર્શનથી, ન તો અશ્રવણથી કે ન તો અજ્ઞાનથી - વિશુદ્ધિ થાય છે, એમ ભગવાને કહ્યું છે.) જો કે અહીં દર્શન, શ્રવણ અને જ્ઞાનનો ઉલ્લેખ છે છતાં જ્ઞાનમાં મનન અને વિજ્ઞાન બંનેનો સમાવેશ સમજી શકાય. આ વિધાનનું તાત્પર્ય એ છે કે ધર્મ યા સત્યને ગ્રહવા સમર્થ ચિત્તવિશુદ્ધિને પામવા માટે દર્શન (શ્રદ્ધા) આદિ ઉપાયો જરૂરી હોવા છતાં પૂરતા નથી. કદાચ બૌદ્ધો આ ચાર આધ્યાત્મિક સોપાનોની યોજનામાં શીલનો ગર્ભિત નહિ પણ પ્રગટ ઉલ્લેખ ઇચ્છતા લાગે છે. - જૈન આગમોમાં સૌથી પ્રાચીન એવા આચારાંગસૂત્રમાં (૪.૧.૯) “લિટું મુર્ત મર્થ વિUUાથ' એ વાક્યખંડ આવે છે. તે પણ ઉપનિષદોમાં ઉલ્લિખિત પેલા જ ચાર આધ્યાત્મિક સોપાનોનો નિર્દેશ કરે છે. વળી, જૈનોએ “રત્નત્રયી'ના વેશમાં તેમનો સ્વીકાર કર્યો છે. તેમની રત્નત્રયી છે – સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે આ ત્રણ મળીને મોક્ષમાર્ગ બને છે. સાધક પ્રથમ દર્શન પામે છે, પછી જ્ઞાન અને છેવટે ચારિત્ર. તેઓ દર્શનનો અર્થ શ્રદ્ધા કરે છે. સમ્યજ્ઞાનમાં શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન સમાવેશ પામે છે. શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન મૂળે શ્રવણ અને મનન છે. ઉપનિષદોમાં પણ મનન માટે “મતિ શબ્દનો પ્રયોગ થયો છે. બૃહદારણ્યક ઉપનિષદનું (૨.૪.૫) આ વાક્ય તપાસો : રિ ! માત્મનો વા મારે તનેના શ્રવન પત્યા વિજ્ઞાનેન્દ્ર સર્વ વિદિતમ્ ! પૂજ્યપાદ પોતાની તત્ત્વાર્થસૂત્ર ઉપરની સર્વાર્થસિદ્ધિ ટીકામાં બે સ્થાને “મતિ' શબ્દનો અર્થ મનન કરે છેઃ “નિમાત્ર વા . પતિ' (૧.૯) અને “મનને મતિઃ' (૧.૧૩). આની વિશેષ ચર્ચા મતિજ્ઞાન ઉપરના વ્યાખ્યાનમાં કરીશું. ચારિત્ર એ ચોથું સોપાન નિદિધ્યાસન છે. નિદિધ્યાસન ધ્યાન છે, અને જૈનો ધ્યાનને ઉત્કૃષ્ટ પ્રકારનું આત્યંતર તપ ગણે છે. આ દૃષ્ટિએ નિદિધ્યાસનને ચારિત્ર ગણી શકાય. વળી, ધ્યાનને ચારિત્રની ચરમ સીમા ગણી યમ આદિથી શરૂ થતી ધ્યાનની સમગ્ર પ્રક્રિયામાં ચારિત્રનો સમાવેશ માની શકાય. પરંતુ જૈનો શુદ્ધ આચાર પર વિશેષ ભાર આપવા માગતા હોઈ નિદિધ્યાસનને બદલે ચારિત્રનો સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy