SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ હેત્વાભાસ નથી એમ અમે સમજાવી રહ્યા છીએ. અને તમે જે આવું માનો છો કે “પક્ષથી અન્યધર્મતા (એટલે કે પક્ષધર્મતાનો અભાવ) માત્ર કહેવાથી વ્યધિકરણ હેત્વાભાસ કહેવાય એવી જે તમારી માન્યતા છે. અને તેવો હેતુ સાધ્યનો અગમક હોય છે એવી જે તમારી માન્યતા છે. તેનું જ અમે આ ખંડન કરી રહ્યા છીએ. अथ प्रतिभोहशक्त्याऽन्यथाभिधानेऽपि ब्राह्मणजन्यत्वादित्येवं हेत्वर्थं प्रतिपद्यते इति चेत्, एवं तर्हि प्रतिभोहशक्त्यैव पटस्य कृतकत्वादित्यभिधानेऽपि पटस्य कृतकत्वादनित्यत्वं दृष्टम् , एवं शब्दस्यापि तत एव तदस्त्विति प्रतिपत्तौ नायमपि व्यधिकरण: स्यात्, तस्माद् यथोपात्तो हेतुस्तथैव तद्गमकत्वं चिन्तनीयम् । न च यस्मात् पटस्य कृतकत्वं तस्मात्तदन्येनाप्यनित्येन भवितव्यमित्यस्ति व्याप्तिः । अतोऽसौ व्यभिचारादेवागमकः । एवं काककाष्र्णादिरपि । कथं वा व्यधिकरणोऽपि जलचन्द्रो नभश्चन्द्रस्य, कृत्तिकोदयो वा शकटोदयस्य गमकः स्यात् ? इति नास्ति व्यधिकरणो हेत्वाभासः ॥ પિતૃબ્રાહ્મણત્વ દ્વારા પુત્રનું બ્રાહ્મણત્વ સાધવામાં હેતુ પક્ષવૃત્તિ થતો નથી. એટલે વ્યધિકરણ હેત્વાભાસ માનવો કે ન માનવો. તેની ચર્ચા આપણે ચાલે છે. અન્યદર્શનકારો તેને વ્યધિકરણ કહેવા ઇચ્છે છે. જૈનદર્શનકારો આવા હેતુને વ્યધિકરણ ન કહેવાય તેમ સમજાવે છે. એટલે અન્ય દર્શનકારો પોતાનો બચાવ કરવા માટે હેતુમાં “પક્ષવૃત્તિતા” તો હોવી જ જોઈએ. જો હેતુ પક્ષમાં ન વર્તે તો પક્ષમાં સાધ્ય કેમ સમજાવે ? આવી શંકાથી હેતુમાં પક્ષધર્મતાનો આગ્રહ રાખતા પ્રશ્ન કરે છે કે પ્રશ્ન- પુત્રમાં બ્રાહ્મણત્વ સાધ્ય સાધવા માટે કહેવાયેલો “પિતૃબ્રદિપવિત્'' એવો જે હેતુ છે. તે હેતુનો અર્થ “માત-પિતા બ્રાહ્મણ હોવાથી” એવો જ જો કે થાય છે. પરંતુ (એવો અર્થ કરીએ તો તે બ્રાહ્મણત્વ માતા-પિતાસંબંધી હોવાથી પક્ષધર્મતા આવતી નથી માટે) તેવો અર્થ ન કરતાં પ્રતિભા દ્વારા (અપૂર્વકલ્પના દ્વારા) “પિતૃબ્રાદત્વિોત્' અથવા પદશક્તિદ્વારા (તર્કશક્તિ દ્વારા) એવું પદ (આગળ જે અર્થ કરવાનો છે. તેની અપેક્ષાએ) અન્યથા બોલવા છતાં પણ “બ્રદિા/ગ ત્વત્િ” “બ્રાહ્મણ વડે જન્ય હોવાથી' એવો જ હેતુનો અર્થ કરવો જોઈએ. જેથી પક્ષધર્મતા મળી જાય. કારણ કે માતા-પિતા બ્રાહ્મણ હોવાથી એવો અર્થ કરીએ તો તે બ્રાહ્મણતા માત-પિતામાં વર્તે છે. એટલે પક્ષભૂત એવા પુત્રથી અન્યત્ર વર્તે છે. એટલે વ્યધિકરણતા થાય છે. અને તેનો અર્થ જો બ્રાહ્મણજન્યત્વ કરીએ તો જન્યપણું પુત્રમાં જ વર્તે છે. તેથી હેતુ પક્ષવૃત્તિ મળી જાય છે. તેથી વ્યધિકરણતા રહેતી નથી. માટે પ્રતિભા અને તર્કશક્તિ દ્વારા આવો અર્થ હેતુનો કરવો જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy