SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ અથવા જે વાદીઓ ઇશ્વરને જ માનતા નથી. અનીશ્વરવાદી જ છે. તેઓની અપેક્ષાએ આ હેતુ પક્ષના એકભાગમાં ન ઘટતો હોવાથી ભાગાસિદ્ધ છે. કારણકે તેઓના મતે ઇશ્વર જ નથી તેથી ઇશ્વર-જન્યત્વ સંભવતું જ નથી. ૫૮ ६. आश्रयासिद्धो यथा, अस्ति प्रधानं, विश्वस्य परिणामिकारणत्वात् । ७. आश्रयैकदेशासिद्धो यथा, नित्याः प्रधानपुरुषेश्वराः, अकृतकत्वात् । अत्र जैनस्य पुरुषः सिद्धो न प्रधानेश्वरौ । ૬. આશ્રયાસિદ્ધ← અનુમાનમાં કહેવાયેલો આશ્રય (પક્ષ) જ સંસારમાં અસિદ્ધ હોય, જેમકે “પ્રધાન (પ્રકૃતિતત્ત્વ) છે. વિશ્વની સમસ્ત વસ્તુઓનું તે પ્રકૃતિ પરિણામી (ઉપાદાન) કારણ હોવાથી. આ અનુમાનમાં “પ્રધાન (પ્રકૃતિતત્ત્વ)” જે પક્ષ મૂકવામાં આવ્યો છે. તે જૈનોની અપેક્ષાએ સંસારમાં નથી જ. માટે આશ્રય જ અસિદ્ધ છે. ॥૬॥ ૭. આશ્રયૈકદેશાસિદ્ધ— અનુમાનમાં કરાયેલા પક્ષનો એક દેશ આ સંસારમાં અસિદ્ધ હોય. (અર્થાત્ ન જ હોય) તે આશ્રયૈકદેશાસિદ્ધ. જેમકે “પ્રકૃતિ, આત્મા, અને ઇશ્વર આ ત્રણ પદાર્થો નિત્ય છે. અકૃતક (અકૃત્રિમ-વાસ્તવિક) હોવાથી. આ અનુમાનમાં જૈનોને પુરુષ (આત્મા) પક્ષ માન્ય છે. પરંતુ પ્રકૃતિ અને ઇશ્વર (જગતના સંહારક સ્વરૂપ મહાદેવાદિ) માન્ય નથી. માટે પક્ષનો એકભાગ અસિદ્ધ છે. ગા પક્ષ હોય, પરંતુ પક્ષમાં હેતુ ન હોય તો પ્રથમ નંબરનો સ્વરૂપાસિદ્ધ. તથા પક્ષ સંસારમાં હોય, પરંતુ પક્ષના એક ભાગમાં હેતુ ન હોય તો તે પાંચમા નંબરનો પક્ષકદેશાસિદ્ધ. પરંતુ પક્ષ જ સંસારમાં ન હોય તો છઠ્ઠા નંબરનો આશ્રયાસિદ્ધ. અને પક્ષનો એકભાગ સંસારમાં ન હોય તો આશ્રયૈકદેશાસિદ્ધ કહેવાય છે. એમ પરસ્પર ભેદ જાણવો. ८. सन्दिग्धाश्रयासिद्धो यथा, गोत्वेन सन्दिह्यमाने गवये आरण्यकोऽयं गौः, जनदर्शनोत्पन्नत्रासत्वात् ॥८॥ ९. सन्दिग्धाश्रयैकदेशासिद्धो यथा, गोत्वेन सन्दिह्यमाने गवये गवि च आरण्यकावेतौ गावौ जनदर्शनोत्पन्नत्रासत्वात् ॥९॥ ૮ સન્દિગ્ધાશ્રયાસિદ્ધ— જે પક્ષ સંદેહાત્મકપણે મૂકવામાં આવ્યો હોય (છટ્ઠા હેત્વાભાસની જેમ નિર્ણયાત્મકભાવે રજુ કરવામાં ન આવ્યો હોય) છતાં સંદેહાત્મકપણે રજુ કરાયેલો તે પક્ષ સંસારમાં અસિદ્ધ હોય. ત્યારે આ સન્દિગ્ધાશ્રયાસિદ્ધ હેત્વાભાસ થાય છે. જેમકે સામે દેખાતું પ્રાણી વાસ્તવિકપણે ગવય જ છે. ગાય નથી. પરંતુ ગાયની સર્દશ હોવાથી તે જાણે ગાય જ હોય શું ? એવો સંદેહ કરવામાં આવ્યો હોય અને પછી આવું અનુમાન કરવામાં આવે કે ગાયપણાનો સંદેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy