SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પરિચ્છેદ ૬-૪૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ ક્ષેત્રાન્તરે તેનું સ્મરણ થયું. એ જ પ્રમાણે કોઈ બીજા પુરુષે તે જ સહકારતરુને વસંતગ્રીષ્મ ઋતુમાં ફળોથી ભરપૂર જોયું. કાળાન્તરે તેનું સ્મરણ થયું. અહીં પ્રથમ પુરુષે ફળશૂન્ય જોયું હોવાથી બીજાની સામે એવી પ્રતિજ્ઞા કરે છે કે તે સહકારતરુ ફળશૂન્ય જ છે. તેની સામે બીજો પુરુષ કહે છે કે ના, તારી વાત મિથ્યા છે. કારણકે તે સહકારતરુ ફળોથી ભરેલું મેં જોયું હતું, એવું મને સ્મરણમાં આવે છે. આ પ્રમાણે ફળોના ભારથી શોભતા સહકારતરુને સ્મરણ કરનારાના સ્મરણ વડે “સહકારતરુ ફળ શૂન્ય” છે. આ પ્રતિજ્ઞા બાધિત થાય છે. આ સ્મરણ દ્વારા પક્ષ બાધિત થયો છે માટે સ્મરણ નિરાકૃત સાધ્યધર્મવિશિષ્ટ પક્ષાભાસ કહેવાય છે. ધારો કે કોઈક સ્થાને એક સરખા સ્વરૂપવાળી બે વસ્તુઓ છે. (જેમ એક જ ઘરે સાથે જન્મેલાં બે બાળકો) હવે હકીક્ત એવી છે કે- એક વસ્તુ બીજી વસ્તુ સાથે (સમાન) છે. પરંતુ બન્ને વસ્તુ એક નથી. અર્થાત્ વસ્તુપણે ભિન્ન છે. ત્યાં સરખે સરખી કોઈ એક વસ્તુમાં કોઈક પુરુષ તે કોઈ એક વસ્તુને આશ્રયી (સાચી રીતે એમ માનવું જોઈએ કે આ વસ્તુ તેની સાથે સમાન છે. તેને બદલે) ઊર્ધ્વતાસામાન્યનો ભ્રમ થવાથી “આ તે જ વસ્તુ છે” આવું જ કહે તો તેની આ પ્રતિજ્ઞા તિર્ય સામાન્યના આલંબનવાળા બીજા પુરુષમાં થયેલા “આ તે જ છે” એમ નહીં પરંતુ “આ તેની સાથે સમાન છે” એવા પ્રત્યભિજ્ઞાન વડે બાધિત થાય છે. તેથી આ પ્રત્યભિજ્ઞાનનિરાકૃતસાધ્યધર્મવિશિષ્ટ પક્ષાભાસ કહેવાય છે. જે જે તેણીનો (મિત્રાનો) પુત્ર છે. તે તે સર્વે શ્યામ છે” આ અમારી વ્યામિ સાચી જ છે. એવું કોઈ એક વાદીએ કહ્યું. ત્યારે તેની સામે બીજા વાદીએ કહ્યું કે ના, તમારી વાત ખોટી છે. કારણ કે માતા (મિત્રા) દ્વારા શાકાદિ આહારનો ઉપભોગ કરવાના પરિણામ પૂર્વકનો જે જે તેણીનો પુત્ર છે. તે તે જ શ્યામ છે. પરંતુ તેણીના બધા પુત્રો શ્યામ નથી. અહીં બીજીવારના વ્યાતિગ્રાહક સાચા તર્ક વડે પ્રથમનો જે પક્ષ છે. તે બાધિત થાય છે. માટે આ તર્કનિરાકૃતસાધ્ય ધર્મયુક્ત પક્ષાભાસ કહેવાય છે. આ પ્રમાણે નિરાકૃતપક્ષાભાસના પ+ =કુલ આઠે ભેદો સવિસ્તરપણે સમજાવ્યા. / ૬-૪પા द्वितीयं पक्षाभासं सभेदमुपदर्श्य तृतीयमुपदर्शयन्तिअनभीप्सितसाध्यधर्मविशेषणो यथा स्याद्वादिनः शाश्वतिक एव कलशादिरशाश्वतिक एव वेति वदतः॥६-४६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy