SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ નિત્ય: શબ્દક તત્વત્' આવા પ્રકારનું અનુમાન વાદી દ્વારા કરાયે છતે (૧) તત્વાન્ આ હેતુ અસિદ્ધ છે. આમ પણ અનુવાદ કરાય, (૨) કૃતત્ત્વ અસિદ્ધ છે. આમ પણ અનુવાદ થાય. (૩) આ હેતુ અસિદ્ધ છે આવો પણ અનુવાદ થાય. આમ અનેક પ્રકારે અનુવાદ કરી શકાય છે. ___ अथ दूषणमेकमनेकं वा कीर्तयेत् , किमत्र तत्त्वम् ? । पर्षदजिज्ञासायामेकमेव, तस्मादेव परपक्षप्रतिक्षेपस्य सिद्धेर्द्वितीयादिदोषाभिधानस्य वैयर्थ्यात् , तज्जिज्ञासायां च संभवे यावत् स्फूर्त्यनेकमपि प्रौढिप्रसिद्धेः, इति ब्रूमः ॥ "दूषणं परपक्षस्य स्वपक्षस्य च साधनम् । प्रतिवादी द्वयं कुर्याद् भिन्नाभिन्नप्रयत्नतः ॥१॥' इति संग्रहश्लोकः ॥ . પ્રશ્ન- પ્રતિવાદીએ વાદીના સાધનવચનમાં એક દૂષણ આપવું જોઇએ કે અનેક દૂષણ આપવાં જોઇએ ? આ બાબતમાં સાચું તત્ત્વ શું ? ઉત્તર- પર્ષદા (સભા) જો એક દૂષણ સાંભળવા માત્રથી સંતુષ્ટ થઈ ચૂકી હોય. અને અન્ય દૂષણો સાંભળવાની જિજ્ઞાસા ન હોય તો એક જ દૂષણ કહેવું જોઇએ. પણ અધિક નહીં. કારણકે તે એક દૂષણ આપવા માત્રથી જ પરપક્ષનું ખંડન સિદ્ધ થઈ જાય છે તેથી દ્વિતીયાદિ દૂષણોનું કથન વ્યર્થ થઈ જાય છે. પરંતુ વધારે દૂષણો જાણવાની અને સાંભળવાની જો પર્ષદાની જિજ્ઞાસા હોય તો જ્યાં સુધી પર્ષદાની તે જિજ્ઞાસા સ્કૂરાયમાન રહે ત્યાં સુધી પ્રતિવાદીએ પોતાની પ્રૌઢતા (પ્રતિભા-તેજસ્વિતા)ની પ્રસિદ્ધિ માટે અનેક દૂષણો પણ વાદીના અનુમાનમાં બતાવવાં (કહેવાં). આમ અમે કહીએ છીએ. સારાંશ કે– પ્રતિવાદીએ ભિન્ન ભિન્ન પ્રયત્નથી પરપક્ષનું દૂષણ અને સ્વપક્ષનું સાધન આમ બન્ને કાર્યો કરવા જોઇએ. तृतीयकक्षायां तु वादी द्वितीयकक्षास्थितप्रतिवादिप्रदर्शितदूषणमदूषणं कुर्यात् , अप्रमाणयेच्च प्रमाणम् , अनयोरन्यतरस्यैव करणे वादाभासप्रसङ्गात् ॥ उदयनोऽप्याह-''नापि प्रतिपक्षसाधनमनिर्वर्त्य प्रथमस्य साधनत्वावस्थितिः, शङ्कित-प्रतिपक्षत्वादिति, अदूषयंस्तु रक्षितस्वपक्षोऽपि न विजयी, श्लाघ्यस्तु स्याद्, वञ्चित-परप्रहार इव तमप्रहरमाण इति च" इति ॥ પ્રથમ કક્ષામાં વાદી, અને દ્વિતીયકક્ષામાં પ્રતિવાદીએ શું બોલવું ? કેટલું બોલવું? કેવું બોલવું ? તે સર્વ કીક્ત કહીને હવે તૃતીયકક્ષામાં વાદીએ શું બોલવું જોઇએ, તે સમજાવે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy