SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ આ હેતુ નિત્ય એવા સાધ્યની સાથે રહેનાર નથી. પરંતુ સાધ્યાભાવ એવા અનિત્યની સાથે જ રહે છે. આ વાત નક્કી થઇ જ જાય છે. આ કારણથી વિરુદ્ધતા જણાવતા પ્રતિવાદી વડે નક્કી તથૈવ-તે હેતુનું જ અનિત્યત્વ (સ્વરૂપ પોતાના) પક્ષની સિદ્ધિમાં સાધનપણું જણાવી જ દીધું છે. આ કારણથી ત્યારે (ચોથી કક્ષામાં) આ પ્રતિવાદીએ સાધનાન્તર કહેવું જોઇએ નહીં, ફક્ત વાદીએ વિરુદ્ધતાનો પરિહાર કર્યો તેનો જ ઉદ્ધાર ચોથી કક્ષામાં પ્રતિવાદીએ કરવો જોઇએ. ૪૧૬ વાદીએ કરેલા પરિહારનો ઉદ્ધાર કરવાનું ચોથી કક્ષામાં જો આ પ્રતિવાદી ન વિચારે, અર્થાત્ તે તરફ દુર્લક્ષ્ય સેવે અને બીજા બીજા પ્રકારે વાદીની વાતનો પ્રતિક્ષેપ કરે તથા પોતાના પક્ષની સિદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો તદ્દાની તે વખતે પાંચમી કક્ષામાં વાદી દ્વારા આ પ્રતિવાદીની વાત દૂષિત કરાયે છતે, સ પુન:-છઠ્ઠી કક્ષામાં તે પ્રતિવાદી વળી જુદી રીતે વાત સમર્થિત કરે આમ વાદકથાનો અંત જ ન આવે અને અનવસ્થા આવે. તેથી ચોથી કક્ષામાં પ્રતિવાદીએ વિરુદ્ધતાના પરિહારનો ઉદ્ધારમાત્ર જ કરવો. પરંતુ સાધનાન્તરથી પરપક્ષનું ખંડન કે સ્વપક્ષની સિદ્ધિ ન કરવી. किञ्च, एवं चेत् प्रतिवादी विरुद्धत्वोद्भावनमुखेनानित्यत्वसिद्धौ स्वीकृतमपि कृतकत्वं हेतुं परिहृत्य सत्त्वादिरूपं हेत्वन्तरमुररीकुर्यात्, तदा वाद्यपि नित्यत्वसिद्धौ तमुपात्तं परित्यज्य प्रत्यभिज्ञायमानत्वादि साधनान्तरमभिदधानः कथं वार्येत ? । अनिवारणे तु सैवानवस्था सुस्थाप्यते । तदिदमिह रहस्यम् - उपक्रान्तं साधनं दूषणं वा परित्यज्य नापरं तदुदीरयेदिति ॥ વળી આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા વાદીના કથનમાં વિરુદ્ધતા દોષનું ઉદ્દ્ભાવન કરવા વડે જ જો અનિત્યત્વ સાધ્યની (પોતાના પક્ષની) સિદ્ધિમાં ધૃતત્વ ને હેતુ તરીકે સ્વીકારી લીધેલો જ છે. છતાં તેને ત્યજીને સત્ત્પતિ સ્વરૂપ કોઇપણ બીજા હેતુને પ્રતિવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે જો સ્વીકારે એટલે કે કૃતકત્વ હેતુથી જ સ્વસાધ્ય અનિત્યત્વ સિદ્ધ થઇ જતું હોવા છતાં અન્ય અન્ય કોઇ હેતુ મૂકે, તો વાદી પણ પોતાનું સાધ્ય જે નિત્યત્વ છે. તેને સિદ્ધ કરવામાં પ્રથમ પોતે મૂકેલો જે કૃતકત્વ હેતુ હતો, તેને (પ્રતિવાદી દ્વારા દોષિત કરાયો હોવાથી) ત્યજીને પ્રભિજ્ઞાયમાનત્વ વગેરે કોઇ નવા નવા હેતુ લાવીને પણ સ્વસાધ્યને સાધવા પ્રયત્ન કરે તો તેને કેમ વારી શકાય ? અને નવા નવા હેતુઓ દ્વારા સ્વસાધ્યની સિદ્ધિનો પ્રારંભ કરતા આ વાદી કે પ્રતિવાદીનું નિવારણ કરવામાં જો ન આવે તો છેવટે તે જ અનવસ્થા જ (ક્યારેય પણ વાદ સમાપ્ત થાય જ નહીં તે દોષ) આવીને ઉભી રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy