SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪00 પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ પ્રાપ્ત કર્યું સ્થાન જેણે એવા તેનું વિધાન કરવું તે અનુચિત છે. શબ્દ ધર્મ જાણ્યા વિના પૂર્વકાળમાં અનિત્ય આદિ ધર્મો જાણવા તે અયોગ્ય છે. તેથી સમાસ ન કરો છતાં પણ વિધેયનો જો પૂર્વપ્રયોગ કરાય તો પણ આ દોષ લાગે છે. તે આ પ્રમાણે આવા પ્રકારના દોષોવાળા વાક્યોનો પ્રયોગ કરતો વાદી અવશ્ય અસ્લાધ્યતા (અપયશ)ની સાથે જોડાય છે. અર્થાત્ અપયશ પામે છે. માટે દોષો વિનાનું “અવદાત” વાક્ય વાપરવું જોઇએ. प्रतिवादिना तु स्वस्यानुषङ्गिकश्लाध्यत्वसिद्धये तत् प्रकाश्य साधनदूषणे यत्नवता भाव्यम् ,न तु तावतैव स्वात्मनि विजयश्रीपरिरम्भः संभावनीयः । प्रकटिततीर्थान्तरीयकलङ्कोऽकलङ्कोऽपि प्राह-वादन्याये दोषमात्रेण यदि पराजयप्राप्तिः पुनरुक्तवच्छ्रुतिदुष्टार्थदुष्टकल्पनादुष्टादयोऽलङ्कारदोषाः पराजयाय कल्पेरनिति ॥ જો કે વાદીએ પોતે જ દોષો વિનાનાં જ વાક્યો બોલવાં જોઈએ. પરંતુ પ્રતિવાદીએ તો પોતાની આ પ્રસંગને અનુસરીને પ્રશંસાની પ્રાપ્તિ માટે (વાદીનાં બોલાયેલાં વાક્યોમાં) તzતે અર્થાન્તરાદિ યથોચિત દોષો પ્રકાશિત કરીને પોતાના પક્ષની સિદ્ધિમાં સાધન વાક્ય અને પરપક્ષ (વાદીના) વાક્યમાં દૂષણ વાક્ય જણાવવા અવશ્ય પ્રયત્નશીલ થવું જોઇએ. પરંતુ તવર્તવ=તેટલા માત્રથી (એટલે કે વાદીના બોલાયેલાં વાક્યોમાં અર્થાન્તરાદિ દોષો જણાવવા માત્રથી) જ પોતાના (પ્રતિવાદીના) પક્ષમાં વિજયલક્ષ્મીનો પ્રાદુર્ભાવ માની લેવો નહીં. પરંતુ પોતાના પક્ષમાં (પ્રતિવાદીના વાક્યોમાં) પણ સામેનો વાદી જે જે દોષો જણાવે તેનું પણ પ્રયત્ન પૂર્વક નિવારણ કરવું જોઇએ. તો જ પ્રતિવાદી વિજયવાન્ બને. સારાંશ કે પ્રતિવાદી વાદીના વાક્યમાં દોષો બતાવે તેટલા માત્રથી વિજયવંત બનતો નથી. પરંતુ પોતાના વાક્યમાં વાદી જે જે દોષો જણાવે તેનો ઉદ્ધાર પણ પ્રતિવાદીએ કરવો જોઇએ. તો જ વિજયવંત બને. કેવળ એકલા બીજાને દોષો આપવા માત્રથી પ્રશંસનીય વિજય મળતો નથી. પરંતુ બીજાને દોષ આપવાથી અને પોતાને બીજાએ આપેલા દોષો દૂર કરવાથી પ્રશંસનીય વિજય પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત વિષયમાં પ્રગટ કર્યા છે અન્યતીર્થિકોના વાક્યોમાં કલંકો (દોષો) જેઓએ એવા અકલંક નામના દિગંબરાચાર્યે પોતાના બનાવેલા “વાદન્યાય” નામના ગ્રંથમાં કહ્યું છે કે “જો બીજાને દોષો આપવા માત્રથી જ પરને પરાજય આપી શકાતો હોય તો પુનરુક્તને જેમ દોષ કહેવાય છે. તેમ શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, અને કલ્પનાદુષ્ટ વગેરે કાવ્યના અલંકાર દોષો પણ પરાજય માટે જ કલ્પવા પડશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy