SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ वक्तव्यमित्यादिर्योऽसौ कथाविशेषस्तं चाङ्गीकारयन्ति, अस्याग्रवादोऽस्य चोत्तरवाद इति च निर्दिशन्ति, वादि-प्रतिवादिभ्यामभिहितयोः साधक-बाधकयोर्गुणं दोषं . चावधारयन्ति । यदैकतरेण प्रतिपादितमपि तत्त्वं मोहादभिनिवेशाद् वाऽन्यतरोऽनङ्गीकुर्वाण: कथायां न विरमति, यदा वा द्वावपि तत्त्वपराङ्मुखमुदीरयन्तौ न विरमतः, तदा तत्त्वप्रकाशनेन तौ विरमयन्ति । यथायोगं च कथायाः फलं जय-पराजयादिकमुद्घोषयन्ति, तैः खलूद्घोषितं तन्निर्विवादतामवगाहते ॥ "सिद्धान्तद्वयवेदिनः प्रतिभया प्रेम्णा समालिङ्गितास्तत्तच्छास्त्रसमृद्धिबन्धुरधियो निष्पक्षपातोदयाः । क्षान्त्या धारणया च रञ्जितहृदो बाढं द्वयोः संमताः । સંખ્યા: મુશિરોનવીશુવિશુમૈત્સંખ્યાપ્ત તે વધે ' ૮-૨૧ વિવેચન- જે વાદમાં વાદીએ અને પ્રતિવાદીએ વાદનો વિષય સ્વયં પોતે જ નિર્ણત કર્યો હોય ત્યાં સભ્યોએ કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ જ્યાં સ્વયં પોતે નથી સ્વીકાર્યું પ્રતિનિયત (નિશ્ચિત) વાદસ્થાનક જેઓએ એવા વાદી અને પ્રતિવાદી વાદ કરવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે ત્યાં સભ્યો તે બન્નેને વાદસ્થાનક અંગીકાર કરાવે છે. એટલે કે તમારે (૧) સર્વાનુવાદ વડે (એટલે............ ......) (૨) દૂષ્યાનુવાદ વડે (એટલે......................... .........) (૩) અથવા વર્ગપરિહાર કરવા પૂર્વક (એટલે..... | આવી આવી રીતે બાંધેલા નિયમો પ્રમાણે જ જે આ કથાવિશેષ (ચર્ચા) કરવાની છે. આમ નિયત કરેલા વિષયવાળું અને નિયમોથી યુક્ત એવું વાદસ્થાનક અંગીકાર કરાવે છે. તથા આ વ્યક્તિએ પ્રથમ વાર શરૂ કરવાનો છે. (અગ્રવાદ કરવાનો છે) અને બીજી વ્યક્તિએ તેનો સામનો કરવાનો છે. (ઉત્તરવાદ કરવાનો છે.) આવો નિર્દેશ આ સભ્યો કરે છે. તથા વાદી અને પ્રતિવાદી વડે કહેવાયેલાં સાધક પ્રમાણમાં અને બાધક પ્રમાણમાં અનુક્રમે જે જે ગુણો અને દોષો હોય છે. તેનો નિશ્ચય સભ્યો પોતે કરે છે. અને જાહેર કરે છે. તથા જ્યારે વાદી અથવા પ્રતિવાદી આ બન્નેમાંથી કોઇપણ એક વડે કહેવાયેલું તત્ત્વ સાચું-યથાર્થ હોવા છતાં પણ મોહથી (અજ્ઞાનતાથી) અથવા અભિનિવેશથી (કદાગ્રહથી) બીજો તે તત્ત્વને સ્વીકાર કરતો નથી અને આડું અવળું બોલવા દ્વારા કથાનો વિરામ કરતો નથી (વાદ ચાલુ જ રાખે છે) ત્યારે, અથવા બન્ને વક્તાઓ મૂલભૂત તત્ત્વચર્ચાથી પરામુખ થઈને (વિષયાન્તર એવી ગમે તે વસ્તુ ઉપર) ગમે તેમ બોલતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy