SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૮ प्रसिद्धयोः प्रसङ्गतः प्रयुक्तोद्भावितयोर्विशेषलक्षणच्युतसंस्कारादिगुणदोषयोः परिज्ञानार्थं बाहुश्रुत्योपादानम् । ताभ्यामेव स्वस्वप्रतिभयोत्प्रेक्षितयोस्तत्तद्गुणदोषयोर्निर्णयार्थं प्रतिभायाः प्रतिपादनम् । वादि-प्रतिवादिनोर्मध्ये यस्य दोषोऽनुमन्यते स यदि कश्चिद् कदाचित् परुषमप्यभिदधीत, तथापि नैते सभासदः कोपपिशाचस्य प्रवेशं सहन्ते, तत्त्वावगमव्याघातप्रसङ्गादिति क्षान्तेरुक्तिः । तत्त्वं विदन्तोऽपि पक्षपातेन गुणदोषौ विपरीतावपि प्रतिपादयेयुरिति माध्यस्थ्यवचनम् । एभिः षड्भिर्गुणैरुभयोः प्रकरणात् वादि-प्रतिवादिनोरभिप्रेताः सभ्या भवन्ति । सभ्या इति बहुवचनं त्रि- चतुरादयोऽमी प्रायेण कर्तव्या इति ज्ञापनार्थम्, तदभावेऽपि द्वावेको वाऽसौ विधेयः ॥८- १८ ॥ વિવેચન– અહીં મૂલસૂત્રમાં લખેલા “નદીષ્ણ” શબ્દનો અર્થ કુશળ કરવો. વાદી અને પ્રતિવાદી આ બે અંગોનાં લક્ષણો શું ? અને તેઓની કાર્યવાહી શું ? તે જણાવીને આ સૂત્રમાં હવે “સભ્ય” નામના ત્રીજા અંગનું લક્ષણ કહે છે. વાદી અને પ્રતિવાદી વચ્ચે થનારી વાદકથામાં હવે જણાવાતા ૬ ગુણોવાળા જે શ્રોતા પુરુષો હોય છે તેને “સભ્ય” કહેવાય છે. (૧) સિદ્ધાન્ત કુશળતા, (૨) ધારણા, (૩) બહુશ્રુતતા, (૪) પ્રતિભા, (૫) ક્ષમાશીલતા અને (૬) મધ્યસ્થતા. આ છએ ગુણોમાં “સિદ્ધાન્તની કુશળતા” અતિશય પ્રધાન છે. તે જણાવવા માટે છએ ગુણોમાં આ ગુણનો પ્રથમપણે નિર્દેશ કર્યો છે. ન ચૈત=સભ્યોમાં બહુશ્રુતપણું હોતે છતે જ વાદ-વિષયક સિદ્ધાન્તની કુશળતા હોય, એવો નિયમ નથી. તસ્ય- તે વાદી-પ્રતિવાદી દ્વારા કરાતી વાદકથાવિષયક સિદ્ધાન્તનું કૌશલ્ય અન્યથાઽત્તિ-બહુશ્રુતતા વિના પણ ભાવાત્-હોઇ શકે છે. બહુશ્રુતતા પ્રાપ્ત ન કરી હોય તો પણ પ્રતિનિયત વાદવિષયક સિદ્ધાન્તની બાબતમાં તે વિષયના અનુભવ દ્વારા સભ્યોની અંદર કુશળતા હોઇ શકે છે. અને સભ્યપણે બેસનારા અંગમાં આ ગુણ અવશ્ય અપેક્ષણીય છે. ફતરથા=જો આ સિદ્ધાન્તની કુશળતા નામના ગુણની અપેક્ષા ન રાખીએ તો વાદમાં ચર્ચાતા સિદ્ધાન્તની કુશળતા વિનાના અને સભ્ય તરીકે બેઠેલા પુરુષો વાદી અને પ્રતિવાદી વડે કહેવાયેલા પોતાના પક્ષના સાધક એવા સાધનમાં અને પરપક્ષના પ્રતિક્ષેપ માટે અપાયેલા દૂષણોમાં ક્યા ક્યા હેતુઓ સિદ્ધાન્તને સિદ્ધ કરે તેવા સિદ્ધાન્ત સિદ્ધત્વાદિ ગુણોવાળા છે અને કયા કયા હેતુઓ તે સિદ્ધાન્તને બાધા પહોંચાડે તેવા બાધિતત્વાદિ દોષવાળા છે. આવા પ્રકારના સાધકતા રૂપ ગુણોને અને બાધકતા રૂપ દોષોને જાણવાને તે સભ્યો અસમર્થ હોય છે. માટે “સિદ્ધાન્તકુશળતા” અવશ્ય જરૂરી છે. (૨) સિદ્ધાન્તકુશળતા નામનો આ ગુણ હોતે છતે પણ જો ધારણા નામનો ગુણ ન હોય તો તે ધારણા ગુણ વિના વાદી અને પ્રતિવાદી દ્વારા કરાતા તે વાદમાં ૪૯ ૩૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy