SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા ભાગ-૩ અથવા પ્રતિવાદી વડે બોલાયેલા વાક્યમાં વાદી દ્વારા વિરુદ્ધતા આદિ કોઈ દોષો જો ઉભાવિત કરાય (પ્રગટ કરાય). અને ત્યાં પ્રતિવાદી કંઈ પણ બોલે નહીં. તો વાદી દ્વારા કરાયેલું આ પરપક્ષનું ખંડન જ સ્વપક્ષનું સ્થાપન સમજી લેવું. આ રીતે કોઇક વાર એક જ પ્રયત્ન બન્ને કાર્ય કરનાર બને છે. તેથી “સ્વપક્ષસાધન અને પ્રતિપક્ષ પ્રતિક્ષેપ” આ બન્ને પદોનો સમાસ કરવા છતાં પણ તે બન્ને પદો તુલ્ય કક્ષાવાળાં છે. આમ જણાવવા માટે ઇતરેતરન્દ સમાસ કર્યો છે. તેથી યુક્તિપ્રયુક્તિઓ દ્વારા અને સત્રમાણ જણાવવા દ્વારા જેમ સ્વપક્ષની સ્થાપના કરાય છે. તેમ તેવી જ સુંદર યુક્તિઓ વડે પરપક્ષનો પ્રતિક્ષેપ પણ કરવો જ જોઈએ. અને જે રીતે પરપક્ષનો પ્રતિક્ષેપ કરાય છે. તે રીતે સ્વપક્ષનું સ્થાપન પણ અવશ્ય કરવું જ જોઇએ. પરંતુ આ બેમાંથી એક કાર્ય કર્યું હોય તો તેવા પ્રકારના એક કાર્યમાત્રથી સર્વત્ર સંતોષવાળા થવું નહીં. સ્વપક્ષસ્થાપના થઈ રહે તો પણ પરપક્ષના ખંડન માટે પ્રયત્નશીલ રહેવું. અને પરપક્ષનું ખંડન કર્યું હોય તો સ્વપક્ષના સ્થાપન માટે પણ પ્રયત્નશીલ રહેવું. આવો ભાવ સમજાવવા ઇતરેતરદ્વન્દ સમાસ કર્યો છે. “અહીં વાદકથામાં પ્રમાણપૂર્વક પોતાના પક્ષનું સ્થાપન અને પ્રતિપક્ષનું ક્ષેપણ (ખંડન) કરવાની ક્રિયામાં કર્મઠ (કુશળ) એવા તે બન્નેને પંડિતપુરુષો મલ્લ-પ્રતિમલ્લના ન્યાયથી વાદી પ્રતિવાદી કહે છે.” I૮-૧૭ वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वधारणाबाहुश्रुत्यप्रतिभाक्षान्तिमाध्यस्थ्यैरुभयाभिमता: सभ्याः ॥८-१८॥ સૂત્રાર્થ- વાદી અને પ્રતિવાદીની વચ્ચે જે વિષયનો વાદ ચાલવાનો હોય તે સિદ્ધાન્તને જાણવામાં (૧) કુશળતા, (ર) ધારણાશક્તિ, (૩) બહુશ્રુતતા, (૪) પ્રતિભા, (૫) ક્ષમાશીલતા અને (૬) માધ્યસ્થતા ગુણો વડે જે પુરુષો વાદી-પ્રતિવાદી એમ ઉભયને માન્ય છે. તે પુરુષો સભ્ય કહેવાય છે. li૮-૧૮II नदीष्ण इति कुशलः, प्राधान्यख्यापनार्थं वादि-प्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वस्य प्रथमं निर्देशः । न चैतद् बहुश्रुतत्वे सत्यवश्यं भावि, तस्यान्यथापि भावात्, अवश्यापेक्षणीयं चैतत् , इतरथा वादिप्रतिवादिप्रतिपादितसाधनदूषणेषु सिद्धान्तसिद्धत्वादिगुणानां तद्बाधितत्वादिदोषाणां चावधारयितुमशक्यत्वात् । सत्यप्येतस्मिन् धारणामन्तरेण न स्वावसरे गुणदोषावबोधकत्वमिति धारणाया अभिधानम् । कदाचिद् वादिप्रतिवादिभ्यां स्वात्मनः प्रौढताप्रसिद्धये स्वस्वसिद्धान्ताप्रतिपादितयोरपि व्याकरणादि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy